પંજાબમાં પ્રચંડ વિજય બાદ આપની નજર ગુજરાત પર
પંજાબમાં આપ પાર્ટીએ ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીઓના સૂપડા સાફ કર્યા બાદ હવે કેજરીવાલની નજર ગુજરાત પર છે. આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેના પગલે આપ, સત્તા પક્ષ ભાજપ સહિતની પાર્ટીઓ ચૂંટણીઓ જીતવા અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. પરિણામે આપના સુપ્રિમો અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં 2 એપ્રિલના 4 કિલોમીટરનો રોજ રોડ શો યોજીની શક્તિપ્રદર્શન કરશે. આ રોડ શોમાં હજારો કાર્યકર્તાઓ જોડાશે.
આમ આદમી પાર્ટી દ્વારા નક્કી થયેલા સંભવિત કાર્યક્રમ મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં રોડ શો યોજવાના છે. બંને નેતાઓ 2 એપ્રિલે સવારે તેઓ ગુજરાત આવશે અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ બપોરે ત્રણ વાગ્યે પૂર્વ વિસ્તારમાં બાપુનગર પોલીસ સ્ટેશન પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ચોક થી બાપુનગર ખોડીયાર મંદિર, બાપુનગર ચાર રસ્તા, ડાયમંડ માર્કેટ, ઠક્કરબાપા નગર એપ્રોચ, ટોરેન્ટ પાવર સ્ટેશન, પંચમ મોલ થઈ અને નિકોલ ખોડીયાર મંદિર પાસે રોડ શો પૂરો થશે.
નોંધનીય છે કે, પંજાબમાં ભવ્ય વિજય બાદ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપ સરકાર સામે વધુ મજબૂતાઈથી લડત લડવા માટે સ્ટ્રેટજી બનાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાની જીત મેળવવા એડીચોટીનું જોર લગાવશે.
103 , 1