:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, થોડા જ કલાકોમાં રોકાણકારોના 13 લાખ કરોડ ડૂબ્યા...

top-news
  • 13 Mar, 2024

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે એટલે કે આજે બુધવારે શેરબજારમાં ફરી એકવાર કડાકો બોલાયો હતો. આજે સવારે થોડા મોમેન્ટમ સાથે ખુલ્યા બાદ અચાનક ઘટાડો શરુ થયો હતો. સેન્સેક્સમાં આજે 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો જ્યારે નિફ્ટી 350 પોઈન્ટ તૂટી ગઈ. બપોરે 2:30 વાગ્યે સેન્સેક્સ 1046 પોઈન્ટ એટલે કે 1.42 ટકા તૂટીને 72621 સ્તરે પહોંચીને વેપાર કરી રહ્યો હતો ત્યારે નિફ્ટી 1.74 ટકા અથવા 388 પોઈન્ટ તૂટીને 21,947 પર વેપાર કરી રહ્યો હતો.

નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 1730 પોઈન્ટ અથવા 3.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો. સાથે જ નિફ્ટીના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 676 પોઈન્ટ એટલે કે 4.50 ટકા ઘટીને વેપાર કરી રહ્યો હતો. આ ભયંકર ઘટાડાના કારણે માર્કેટનું સેન્ટીમેન્ટ બદલાઈ ગયું અને દિગ્ગજ કંપનીઓના શેરમાં જબરદસ્ત વેચાવલી થઈ.

ગત દિવસોમાં SEBI ચીફે મિડકેપ અને સ્મોલ કેપ સ્ટોકને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સેબી તેના પર તાકતી નજર રાખી રહ્યું છે. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સમાં હેરાફેરીના સંકેત મળ્યા છે. એટલું જ નહીં એસએમઆઈ આઈપીઓમાં પણ ગોટાળાના સંકેત છે. સેબી ચીફે રોકાણકારોને સતર્ક રહેવા કહ્યું છે. સેબીના આ નિવેદન બાદ બજારમાં સેન્ટીમેન્ટ બદલાયું, જેની અસર થઈ કે આજે બજારમાં ભારે વેચાણ થયું. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સની સાથે બાકીના ઈન્ડેક્સમાં પણ ભારે ઘટાડો આવ્યો છે.

બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાના કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 12.67 લાખ કરોડ રૂપિયા ઘટીને 372 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. જેનો મતલબ છે કે થોડા જ કલાકોમાં રોકાણકારોને અંદાજિત 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎