:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ચૂંટણી બાદ સામાન્ય જનતાના ખિસ્સાનું ભારણ વધશે..!!!. મોબાઇલ રિચાર્જ થશે મોંઘા : રિપોર્ટ

top-news
  • 13 Apr, 2024

 દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ હવે જોરથી વાગી રહયા છે. ચુંટણી પ્રચારમાં રાજકીય પાર્ટીઓ લોકોને સસ્તા પ્રલોભન આપીને વૉટબેંકની રાજનીતિ કરી રહ્યા છે. પરંતુ આ વૉટબેંકની રાજનીતિ વચ્ચે સામાન્ય જનતાના ખિસ્સાને અસર થાય તેવો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે દેશમાં લોકસભાની ચુંટણી બાદ મોબાઇલના ટેરિફ પ્લાનમાં વધારો થવા જઈ રહ્યો છે. 

ચૂંટણી બાદ ટેરિફ પ્લાન 15-17 ટકા મોંઘો થઈ શકે છે. નોંધનિય છે કે, દેશમાં  પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.ત્યારબાદ આ વધારો લાગુ થવાની સંભાવનાઓ જણાઈ રહી છે. 

રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્ટરમાં ટેરિફની કિંમતમાં 15-17 ટકાનો વધારો થવાની ધારણા છે. જો આ વધારો લાગુ થશે તો તેનો સૌથી વધુ ફાયદો ભારતી એરટેલને થશે . અને તેથી સામાન્ય જનમાણસ પર તેની અસર જોવા જરરૂ મળશે,તેનું કારણ હવે કોરોનાના કપરાકાળ પછી આમ જન માણસ પણ મોબાઈલનો ઉપયોગ કરતો થઈ ગયો છે, તેથી દરેક વ્યક્તિના ખિસ્સા પર તેની ચોક્કસ અસર જોવા મળશે.અગાઉ ડિસેમ્બર 2021માં મોબાઈલ કંપનીઓએ ટેરિફમાં લગભગ 20 ટકાનો વધારો કર્યો હતો.

 સૌથી મોંઘું રીચાર્જ કોનું હોઈ શકે છે જેનો હજુ સુધી કોઈ જવાબ નથી. પરંતુ રિપોર્ટ અનુસાર એરટેલ તેના ટેરિફમાં વધુ વધારો કરી શકે છે. વોડાફોન-આઈડિયા નાણાકીય સંકટનો સામનો કરી રહી છે તેથી તે તેના ટેરિફની કિંમત પણ ઝડપથી વધારી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કંપનીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

એક રિપોર્ટ સૂચવે છે કે ઝડપી ઇન્ટરનેટ માટે તમારે 14 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જો તમે 5G ઈન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારે અત્યારે જે ચૂકવણી કરી રહ્યા છો તેના કરતાં તમારે 14 રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. હાલમાં 5G ઇન્ટરનેટ મોબાઇલ કંપનીઓનું સીધું લક્ષ્ય હશે કારણ કે ઝડપી ઇન્ટરનેટની સાથે ગ્રાહકો ડેટા માટે વધુ ચૂકવણી પણ કરે છે. હવે આવી સ્થિતિમાં મોબાઈલ કંપનીઓ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી તેથી આ અંગે સંપૂર્ણ રીતે કહી શકાય નહીં.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎