ખેત પેદાશ અંગેના પુસ્તકનું વિમોચન: AMAમાં યોજાયો કાર્યક્રમ ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15042024_072804_WhatsApp Image 2024-04-15 at 12.21.21 PM.jpeg)
- 15 Apr, 2024
એએમએ દ્રારા ડૉ. યુ.કે. શ્રીવાસ્તવ અને ડૉ. પ્રમિલા શ્રીવાસ્તવ, P.S. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ્સ, અમદાવાદ દ્રારા લખાયેલ "ફાર્મર પ્રોડ્યુસર કંપનીઝ: રોડ મેપ ટુ એન્સ્યોર સસ્ટેનેબિલિટી” પુસ્તકનું ડૉ.ભરત પટેલ, સભ્ય, એક્ઝિક્યુટિવ કમિટી, એએમએ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યું. લેખકો દ્રારા પુસ્તકમાં આવરી લેવામાં આવેલ કેસ સ્ટડી, હાથ ધરવામાં આવેલી ફિલ્ડ વિઝિટ, સીઈઓ અને અન્ય કાર્યકર્તાઓ સાથેની ક્રિયા-પ્રતિક્રિયા સંબંધિત સંશોધન વિશે વાત રજૂ કરવામાં આવી હતી.
ખેડૂત ઉત્પાદક કંપનીઓના એકત્રીકરણ મોડેલને ૧૦૦ જેટલાં વિસ્તૃત અભ્યાસો દ્રારા સંશોધન કરી અને તેની પ્રશંસા કરવામાં આવી છે. સમસ્યા અમલીકરણમાં છે જેથી તે લક્ષ્ય જૂથને અપેક્ષિત પરિણામો પહોંચાડી શકે. અવરોધો અને પડકારો લાંબા ગાળે ખેડૂત ઉત્પાદક કંપનીઓની સસ્ટેનેબિલિટી માટે સમસ્યા ઊભી કરે છે. પુસ્તક આ કંપનીઓની સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવા માટેનો રોડમેપ રજૂ કરે છે.