:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

વેદાંતા પર ₹ 27.97 કરોડનો GST દંડ, હિતધારકોને આપી ખાતરી , દંડના પરિણામની નાણાકીય અસર નહીં ...

top-news
  • 17 Apr, 2024

માઇનિંગ કંપની વેદાંતા લિમિટેડેને ગૂડ્સ અને સર્વિસ ટેક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા નાણાકીય વર્ષ 2018-19 થી  2020-21ના સમયગાળા માટે ₹27.97 કરોડનો GST પેનલ્ટી ઓર્ડર આપવામાં આવ્યો છે. આ દંડ તેમને અગાઉ જણાવેલ નાણાકીય વર્ષ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટ સમાધાન સંબંધિત વિવાદ માટે કરવામાં આવ્યો છે.

વેદાંતા "કંપનીને એડિશનલ કમિશનર, GST અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશનરેટ, રાઉરકેલાની ઑફિસ તરફથી ટેક્સ ડિમાન્ડ અને લાગુ વ્યાજ સાથે રૂ. 27.97 કરોડની પેનલ્ટીની પુષ્ટિ કરતો ઓર્ડર મળ્યો છે," સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવાયું છે. માઇનિંગ કંપની વેદાંતા લિમિટેડે જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2018-19 થી  2020-21ના સમયગાળા માટે ₹27.97 કરોડનો GST ચૂકવવો પડશે. 

વેદાંતા લિમિટેડે તરત જ આ વિવાદના સાનુકૂળ નિરાકરણ માટે અપીલ સત્તાવાળાઓ સાથે આદેશની અપીલ કરવાનો તેનો ઈરાદો જાહેર કર્યો. આ બાબતને સંબોધતા તેના નિવેદનમાં, વેદાંતાએ હિતધારકોને ખાતરી આપી હતી કે દંડના પરિણામે તેઓને કોઈ ભૌતિક નાણાકીય અસર નહીં થાય . 

વધુમાં તેમાં ઉમેર્યું હતું કે, "કંપની ઉક્ત આદેશ સામે અપીલ સત્તાવાળાઓ પાસે અપીલ દાખલ કરવા માગે છે. કંપની આ બાબતે સાનુકૂળ પરિણામની અપેક્ષા રાખે છે. કંપનીને આશા છે કે આ આદેશથી કંપની પર કોઈ નોંધપાત્ર નાણાકીય અસર થશે નહીં."વેદાંતા લિમિટેડનો શેર મંગળવારે, એપ્રિલ 16ના રોજ BSE પર ₹7.35 અથવા 1.98% વધીને ₹377.90 પર બંધ થયો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎