:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સરકારની આ યોજના વિશે જાણો છો તમે: તમારા રૂપિયા પર જોખમ વગર મળશે સારુ રિટર્ન, આજે જ જાણો પોસ્ટ ઓફિસની આ સ્કીમ વિશે...

top-news
  • 15 Jun, 2024

પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી સરકારી યોજનાઓ ઓફર કરવામાં આવે છે, જે લોકોને સમય પછી સારો નફો આપે છે. શેરબજાર અથવા અન્ય રોકાણોની સરખામણીમાં પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં જોખમ નહિવત છે. જો તમે પણ કોઈ જોખમ લીધા વિના વધુ રૂપિયા કમાવવા માંગો છો, તો આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું, જે તમારા રૂપિયાને બમણા કરી નાખશે. તો ચાલો જાણીએ આ સ્કીમ વિશે...

પોસ્ટ ઓફિસની આ લોકપ્રિય યોજના કિસાન વિકાસ પત્ર (KVP) છે. આ યોજના ખાસ કરીને વધુ નફો આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનામાં રોકાણ કરવાથી, પૈસા થોડા મહિનામાં ડબલ થઈ જાય છે. આ યોજનામાં, તમે 100ના ગુણાંકમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. ખાસ વાત એ છે કે આમાં કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે ઈચ્છો તેટલા પૈસા રોકાણ કરી શકો છો.



કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ સિંગલ અને ડબલ બંને ખાતા ખોલાવી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના બાળકના નામે પણ ખાતું ખોલાવી શકાય છે. ઉપરાંત, વ્યક્તિ ગમે તેટલા ખાતા ખોલાવી શકે છે. આની પણ કોઈ મર્યાદા નથી. 2, 4, 6 કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ તમે ઈચ્છો તેટલા ખાતા ખોલાવી શકો છો.

પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ વ્યાજ ત્રિમાસિક ધોરણે નક્કી કરવામાં આવે છે. પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ હાલમાં 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજ વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ સ્કીમ હેઠળ રૂ.5 લાખનું રોકાણ કરે છે અને મેચ્યોરિટી એટલે કે 115 મહિના સુધી સ્કીમમાં રહે છે, તો તેને માત્ર 7.5 ટકા વ્યાજના આધારે વ્યાજમાંથી રૂ. 5 લાખ મળશે. આનો અર્થ એ છે કે રોકાણકારોને પાકતી મુદત પર રૂ.10 લાખ મળશે. નોંધનીય છે કે આમાં ટેક્સનો પણ સમાવેશ થાય છે.