:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય

top-news
  • 23 Jul, 2024

મોદી 3.0નું  પ્રથમ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રધાનમંત્રી મુદ્રા યોજના સાથે જોડાયેલી છે. આ સરકારી યોજના અંતર્ગત મુદ્રા લોનની લિમિટને વધારીને બેગણી કરવામાં આવી છે. પહેલા આ સ્કીમ અંતર્ગત MSME માટે 10 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હતી, જે હવે 20 લાખ રૂપિયા સુધીની કરી દેવામાં આવી છે. 

દેશના યુવાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના ચલાવી રહી છે. આ સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં કોર્પોરેટ ન હોય તેવા નાના ઉદ્યોગોને શરૂ કરવા કે વિસ્તારવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન અપાઈ રહી હતી. હવે તેને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ લોન સરળતાથી અને સસ્તા વ્યાજ દર પર મળે છે. જો તમે સમયથી લોન ચુકવતા રહો છે, તો ઋણના વ્યાજ દર પણ માફ થઈ જાય છે. નાણાં મંત્રીએ કહ્યું કે જેમણે પોતાની અગાઉની લોન ચુકવી દીધી છે, તેમને હવે બેગણી લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે. એટલે કે જેને પહેલેથી લોન ચાલુ છે, તેને તેનો લાભ ત્યારે જ મળશે, જ્યારે તે તેની જૂની લોન ચુકવી દેશે. 

પીએમ મુદ્રા યોજના અંતર્ગત મળતી લોનને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ ત્રણ કેટેગરી શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોનની છે. શિશુ લોન અંતર્ગત 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિશોર લોન અંતર્ગત 50 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તરુણ લોન અંતર્ગત અત્યાર સુધીમાં 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાય છે.

પીએમ શિશુ મુદ્રા ઋણ યોજના અંતર્ગત અરજી કરવા માટે કોઈ જ ગેરન્ટીની જરૂર પડતી નથી. આ સિવાય કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લાગતો નથી. જોકે અલગ-અલગ બેન્કોમાં લોનના વ્યાજ દરોમાં અંતર હોઈ શકે છે. આ બાબત બેન્કો પર નિર્ભર કરે છે. આ યોજના અંતર્ગત 9થી 12  ટકા પ્રતિવર્ષ વ્યાજ દર હોય છે. 

મુદ્રા લોન લેવા માટે તમારે  નજીકની બેન્કમાં જવું પડશે. ઘણી બેન્કોએ આ સ્કીમ અંતર્ગત અરજી કરવા માટે ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. તમે https://www.mudra.org.in/ પર વિઝિટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. 

પીએમ મુદ્રા સ્કીમ અંતર્ગત નાના દુકાનદાર, ફળ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ જેવા નાના ઉદ્યોગોને લોનની સુવિધા મળે છે. આ સ્કીમનો લાભ લેવા માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેસિડેન્શિયલ પ્રુફ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, બિઝનેસ સર્ટિફિકેટની જરૂર પડે છે.