:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

તમારે ટેક્સ ભરવાનો બાકી છે: તો બે દિવસમાં ભરી દેજો નહિંતર હમેશાં પસ્તાશો, આ લાભ ક્યારેય નહીં મળે પછી

top-news
  • 29 Jul, 2024

તમે કપાતનો લાભ લઈને જૂના કર રિજીમ હેઠળ આવકવેરો બચાવવા માંગો છો, તો કોઈ પણ સંજોગોમાં તમારે 31મી જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરવી જોઈએ. નિયમો અનુસાર 31 જુલાઇ પછી જૂના ટેક્સ વ્યવસ્થાના દરવાજા બંધ થઈ જશે. આવકવેરો તમે હજુ સુધી ભર્યો નથી તો તમારી પાસે હવે માત્ર બે દિવસનો સમય છે. તમે 31મી જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ નહીં કરો તો તમારે 1લી ઓગસ્ટથી બેવડા પડકારોનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે ટેક્સ ભરવાથી તમને લોન લેવા સહિતના ફાયદા થાય છે. 

આવકવેરા વિભાગે આવકવેરા રિટર્નની છેલ્લી તારીખ 31મી જુલાઈ નક્કી કરી છે. આ પછી ભરવા માટે દંડની જોગવાઈ છે, પરંતુ દંડ કરતાં પણ મોટો નિયમ છે, જેનાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તમે 31 જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરો છો, તો તમારી પાસે ટેક્સ સ્લેબ પસંદ કરવા માટે બે વિકલ્પો છે. હાલમાં ન્યૂ ટેક્સ રિજીમ ડિફોલ્ટ છે, પરંતુ જે કરદાતાઓ ઓલ્ડ ટેક્સ રિજીમ પસંદ કરવા માગે છે અને કપાતનો લાભ લઈને આવક વેરો બચાવવા માગે છે તેમના માટે ઓલ્ડ ટેક્સ રિજિમનો વિકલ્પ છે. એટલે કે 31મી જુલાઈ સુધી તમે નવી ટેક્સ સિસ્ટમમાંથી જૂની ટેક્સ સિસ્ટમમાં શિફ્ટ થઈ શકો છો.

પરંતુ 31 જુલાઈ પછી આ વિકલ્પો સમાપ્ત થઈ જશે, ત્યારબાદ કરદાતાઓ ઇચ્છે તો પણ જૂની કર વ્યવસ્થામાં શિફ્ટ નહીં થઈ શકે. કોઈ પણ સંજોગોમાં તેઓએ નવી કર વ્યવસ્થા હેઠળ આવકવેરો ભરવો પડશે. આવી સ્થિતિમાં તમે ભાડા પર રહેશો અથવા હોમ લોન લીધી છે, એટલે કે જો તમે કપાતનો લાભ લઈને જૂના કર શાસન હેઠળ આવકવેરો બચાવવા માંગતા હો, તો કોઈ પણ સંજોગોમાં તમારે 31મી જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરવી જોઈએ. નિયમો અનુસાર 31 જુલાઈ પછી જૂના ટેક્સ શાસનના દરવાજા બંધ થઈ જશે. પછી બાકીના લોકોએ નાણાકીય વર્ષ 2023-24 માટે નવા ટેક્સ સિસ્ટમમાં ITR ભરવાનું રહેશે.

જ્યારે ITR છેલ્લી તારીખ પછી ફાઇલ કરવામાં આવે તો તેને વિલંબિત ITR કહેવામાં આવે છે. ઘણા કરદાતાઓ માંગ કરી રહ્યા છે કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવે, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ સંકેત મળ્યો નથી.

તમને જણાવી દઈએ કે, 31 જુલાઈ પછી ITR ફાઈલ કરવા પર લેટ ફી ચૂકવવી પડશે. જો તમારી કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે તો તમારે ITR ફાઇલ કરતી વખતે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. જો તમારી કરપાત્ર આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ રીતે તમે 31મી જુલાઈ સુધીમાં ITR ફાઈલ કરીને દંડથી બચી શકો છો. તમે 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરો છો અને રિટર્નમાં કોઈ ભૂલ છે અથવા કોઈ માહિતી ખૂટે છે, તો તમે સુધારેલું રિટર્ન ફાઈલ કરી શકો છો. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. તમે આ તારીખ સુધી ગમે તેટલી વખત સુધારેલું રિટર્ન ફાઇલ કરી શકો છો. રિવાઇઝ્ડ રિટર્ન ફાઈલ કરવા માટે ન તો કોઈ ફી ચૂકવવી પડે છે કે ન તો કોઈ પ્રકારનો દંડ લાદવામાં આવે છે.