:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

પોલિટિકલ પાર્ટીઓનું દાન સરકારનું નુકસાન: વર્ષ 2022-23માં સરકારી તિજોરીને આટલા કરોડનું નુકસાન થયું, પોલિટિકલ પાર્ટીઓને તો મોજ પડી ગઈ; સમજો ગણિત

top-news
  • 30 Jul, 2024

રાજકીય પક્ષોને દાન આપવા પર ટેક્સમાં છૂટ મળે છે. ફાઈનાન્શિયલ વર્ષ 2022-23માં આવા દાનને કારણે સરકારી તિજોરી પર લગભગ 3,967.54 કરોડનો બોજો વધ્યો છે. આ અનુમાન કેન્દ્રીય બજેટ 2024-25માં નાણાં મંત્રાલયે લગાવ્યું છે. આ આંકડો 2021-22ની સરખામણીમાં લગભગ 13 ટકા વધુ છે. મીડિયાના એક અહેવાલ મુજબ, છેલ્લા 9 વર્ષમાં ઈલેક્શન ફન્ડિંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાતનો અંદાજ અગાઉના કેન્દ્રીય બજેટોના વિશ્લેષણથી આવે છે. 

2014-15થી લઈને અત્યાર સુધીમાં 9 વર્ષમાં રાજકીય ડોનેશનના કારણે સરકારી તિજોરી પર લગભગ 12,270.19 કરોડ રૂપિયાનો બોજો વધી ગયો છે. નાણાંકીય વર્ષ 2023-24ના આંકડા હજી જાહેર કરવામાં આવ્યા નથી. જે આંકડા છે તે વર્ષ 2014-15થી લઈને વર્ષ 2022-23 સુધીના છે.

આવું થયું છે ઈન્કમ ટેક્સ એક્ટ 1961ના કારણે. તેમાં રાજકીય પાર્ટીને મળનાર ટેક્સ છૂટ વિશે જણાવવામાં આવ્યું છે. તે મુજબ ભારતીય કંપનીઓ, ફર્મ, વ્યક્તિઓના સંઘ(AOPs), વ્યક્તિઓના યુનિટ(BOIs), વ્યક્તિઓ કે હિન્દુ અવિભાજિત પરિવારો(HUF) સહિત અન્ય કરદાતા, જો રાજકીય પક્ષોને દાન આપે છે, તો તેમને ટેક્સમાં ફાયદો મળે છે. એટલે કે તેમને ટેક્સ ઓછો આપવો પડે છે. 

નાણાંકીય વર્ષ     સરકારી તિજોરીને થયેલું નુકસાન

2014-15          170.86 કરોડ
2015-16          84 કરોડ
2016-17          186.62 કરોડ
2017-18          322.39 કરોડ
2018-19          1244.98 કરોડ
2019-20          1746.94 કરોડ
2020-21          1030.39 કરોડ
2021-22          3516.47 કરોડ
2022-23          3967.54 કરોડ

કુલ               12270.19 કરોડ

આવા દાનથી નાણાંકીય વર્ષ 2022-23માં સરકારી રેવન્યુ પર સૌથી વધુ અસર પડી છે. જે 3967.54 કરોડ રૂપિયાની છે. તેમાં રેવન્યુને સૌથી વધુ તે ડોનેશનથી અસર થઈ છે, જે કલમ 80GGC અંતર્ગત  કોર્પોરેટ ટેક્સપેયર્સે આપ્યું હતું. વર્ષ 2022-23માં કોર્પોરેટ ડોનેશનના કારણે રેવન્યુ પર 2003.43 કરોડની અસર પડી છે. 

ઈન્કમ ટેક્સ અધિનિયમની ધારા 80GGB અને 80GGC મુજબ-કોઈ ટેક્સપેયર્સની કુલ આવકની ગણતરી કરતી વખતે, ગત વર્ષે તેના દ્વારા કોઈ રાજકીય દળ કે ચૂંટણી ટ્રસ્ટને આપવામાં આવેલા યોગદાનની રકમમાં કાપ મુકવામાં આવશે. જોકે સીધા કેશના માધ્યમથી આપવામાં આવેલા કોઈ પણ દાન પર છુટની પરવાનગી નથી. એ પણ જરૂરી છે કે દાન એ જ પક્ષોને  આપવામાં આવ્યું હોય જે જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A અંતર્ગત રજિસ્ટર્ડ હોય.

ટેક્સમાં કાપ મેળવવા માટે સૌથી જરૂરી વાત એ છે કે ડોનેશન ચેક, બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર કે ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્નારા આપવામાં આવ્યું હોય. જોકે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લાંબી સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ પર રોક લગાવી દીધી હતી.