નવા વર્ષની શરૂઆતે જ બની સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટના : છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓને છેડતીનો મામલો , ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા કડક આદેશ...
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03012024_091940_106500368.webp)
- 03 Jan, 2024
શું રાજ્યમાં દીકરીઓ સલામત છે ? છોટાઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસેજ સમાજને લાંછન લગાવતી ઘટના સામે આવી. રોજ પીકઅપ વેનમાં અપ ડાઉન કરતી શાળાની વિદ્યાર્થિનીઓની થોડે દૂર ગયા બાદ અચાનક વેન માં બેઠેલા શખ્સે ચાલુ વાહને છેડતી કરતા , બચવા માટે જાનની જોખમે બધીજ વિદ્યાર્થિનીઓ વેન માંથી કૂદી પડી . ચાલુ વાહનમાંથી કૂદકો મારતા વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત થઈ,તેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા વધુ તપાસ અર્થે પોલીસ ત્યાં પહોંચી ગઈ છે. એટલું જ નહીં વાત ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચતા મામલામાં કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.
છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓને છેડતીનો મામલો સામે આવ્યો છે. જેમાં 2 વિદ્યાર્થીનીઓને વધુ ઈજા હોવાથી મોટા હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. નોંધનિય છે કે, નસવાડી-સંખેડા રોડ પર વિદ્યાર્થીનીઓની પીકઅપ વાનમાં છેડતી કરાઈ હતી. આ તરફ ઇસમોએ છેડતી કરતાં વિદ્યાર્થીનીઓ પીકઅપ વાનમાંથી કૂદી પડી હતી. જેમાં 2 બાળકીઓને વધુ ઈજા હોવાથી સંખેડાની હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. જ્યારે પોલીસે પીકઅપ વાન ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી છે. અને ડ્રાઈવરને ઈજા થવાથી તેને પણ હોસ્પિટલ લઈ જવાયો છે. ડ્રાઈવરના સાથીઓ પરેશ, કિરણ ફરાર થયા હોઇ પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ મામલામાં સંખેડા પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા છે.
સમાજના આગેવાન ધર્મેન્દ્ર સિંહ રાજપૂતે પણ આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, મને આ ઘટનાની જાણ થતાં ત્યાં પહોંચીને પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. આ મામલે અમે જુનાગઢ એસપી અને સંખેડા પોલીસ સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે પણ આ તમામ આરોપીઓને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ સાથે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓ મફત પાસની સગવડ છે છતાં પણ જો બસની કોઈ તકલીફ હશે તો તે અંગે પણ અમે રજૂઆત કરીશું.
બીજી બાજુ વિદ્યાર્થિનીઓની આમ ચાલુ વાહને છેડતીથી વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા વાલીઓની માગણી છે. વિદ્યાર્થિનીઓની છેડતીને લઈને રાજ્ય સરકાર પણ ગંભીર બની છે. જે બાદમાં હવે આ ઘટનાની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ ગંભીરતાથી નોંધ લીધી છે. અને પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ