નશાબંધીની ઓફિસમાંથી ચરસનો વેપાર : ડ્રગ્સની ચોરી કરી વેચવાનો પ્રયાસ, 10 વર્ષની કેદ...
- 30 Apr, 2024
આજનું યુવાધન દેખાદેખી કરવાને મામલે બધાને પાછળ છોડી દે છે. એ કારણે તેઓ આધળું અનુકરણ પણ કરતા હોય છે. તેમને કેટલીક વાર ખબર પણ નથી પડતી તેમનું આ અનુકરણ તેમને ક્યા લઈ જશે ?? આવા સમયે આજની યુવા પેઢીને સમજવવા સિવાય બીજો વિકલ્પ નથી હોતો. કોઈ પણ વસ્તુનો નશો એ એવી વસ્તુ છે કે જેની આદત ક્યારે લાગી જાય છે. તેની વ્યક્તિને પોતાને ખબર પણ પડતી નથી,અને તેને કારણે તે બીજા ગુનાખોરીમાં પણ સડોવાઈ જતાં હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો ,જેમાં નશાબંધીની ઓફિસ માંથી જ ડ્રગ્સની ચોરી થવાની ઘટના બની હતી.
નશાબંધી અને આબકારી ઓફિસમાંથી 1.750 ગ્રામ ચરસનો જથ્થો ચોરીને વેચવાનો પ્રયાસ કરનારા આરોપીને સ્પે. કોર્ટે 10 વર્ષ કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, માદક પદાર્થનો ઉપયોગ એક સામાજિક દૂષણ છે અને સમાજને કોરી ખાય છે. માદક પદાર્થની હેરાફેરી દેશના અર્થતંત્રને વિપરીત અસર કરે છે. ઉપરાંત દેશના યુવાનો તથા ભાવિ પેઢી માટે હાનિકારક છે અને રાષ્ટ્રની સંપત્તિનો નાશ કરે છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી સજા કરવી ન્યાયોચિત જણાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ચરસ ચોરી કરવાનો કેસ સાબિત ન થતા આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે જ્યારે ડ્રગ્સ કેસમાં સજા થઈ છે.
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે 28 જુલાઈ 2019ના રોજ રાજન બાબુભાઇ દંતાણી નામના શખ્સને 1.750 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપ્યો હતો. ક્રાઈમની ટીમે આરોપીની પૂછપરછ કરતા આ ચરસનો જથ્થો ઘરની પાછળ આવેલા સીપીડી વેરહાઉસમાંથી ચોરી કર્યો હતો. જેથી એસઓજીની ટીમ નશાબંધી અને આબકારીના શાહપુરના વેરહાઉસ પર પહોંચી હતી. નશાબંધીના અધિકારીઓને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. રાજને વેરહાઉસનું તાળું તોડી ચરસની ચોરી કરી હતી. જે તે સમયે નશાબંધીના અધિકારીઓને પણ આ ક્યાં મુદામાલની ચોરી થઈ છે તેની જાણ નહોતી. બાદમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના મુદામાલની ચોરી કરી હોવાનો રેકર્ડ મળતા રાજન સામે ચોરીની ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ઉપરાંત NDPS એક્ટ હેઠળ પણ રાજન સામે અલગ કેસ કરવામાં આવ્યો હતો.
ચોરીનો કેસ પુરવાર ન થતા આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો હતો જ્યારે ડ્રગ્સ કેસ ચાલતા સરકારી વકીલે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીના કૃત્યને કારણે યુવા ધન ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે, આરોપી પાસેથી જ મુદ્દામાલ મળ્યાનું સાબિત થાય છે ત્યારે આવા આરોપીને સખતમાં સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી રાજન દંતાણીને 10 વર્ષ કેદની સજા ફટકારી છે.
નશાબંધીના ગોડાઉનમાંથી ચરસની ચોરી થઇ હોવા છતાં ક્રાઇમ બ્રાન્ચે તેમની તપાસમાં નશાબંધીની ઓફિસના એક પણ કર્મચારીને સાક્ષી તરીકે ચાર્જશીટમાં દર્શાવ્યો ન હતો. જેથી આરોપી તરફે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે નશાબંધીના ગોડાઉનમાંથી ચરસ ચોરીનો આરોપ છે, પરંતુ નશાબંધી ખાતાના કોઇ જ કર્મચારીનું નિવેદન લેવામાં આવ્યું નથી અને કોઇ સાક્ષી પણ નથી ત્યારે ખરેખર મુદ્દામાલ ક્યાંથી આવ્યો તે સાબિત થતું જ નથી તેથી નિર્દોષ છોડવો જોઇએ.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ