જહાગીરપુરામાં પરિવારના 4 સભ્યોની લાશ મળી આવતા હડકંપ રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સૂઈ ગયો અને સવારે તેઓ ઊઠ્યાં જ નહોતા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan15062024_121741_rajhansresidency.webp)
- 15 Jun, 2024
રાજ્યમાં રોજ અનેક દુર્ઘટનાઓ બનતી હોય છે. કોઈ ને કોઈ કારણસર વ્યક્તિ પોતાનું અમૂલ્ય જીવન ગુમાવતી હોય છે. ઈશ્વરે દરેકને આપેલી ભેટનો ત્યાગ કે અસ્વીકાર અથવા અનાદર કરવો કેટલી હદે યોગ્ય છે. એવામાં હાલ સુરતમાં ફરી એકવાર સામુહિક આપઘાતની ઘટના બની હોવાની માહિતી સામે આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો .
પ્રાપ્ત માહિતી મુજબ સુરતના જહાગીરપુરામાં ચાર લોકોની ઘરમાંથી લાશ મળી આવી હતી. આ ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક જ પરિવારના 4 લોકોની લાશ ઘરમાંથી મળી આવી હોવાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળ તરફ દોડી ગયા હતા. રાજ રેસિડન્સીમા રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની વાતો વહેતી થવા લાગી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે જોકે ઘટનાનું કારણ હજુ જાણવા મળ્યું નથી .
માહિતી અનુસાર, પતિ-પત્ની અને 1 સાળી સાથે રહેતા હતા. જયારે એન્ય એક સાળી થોડા દિવસ પહેલા સાથે રહેવા આવી હતી. .રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સૂઈ ગયો હતો. સવારે તેઓ ઊઠ્યાં જ નહોતાં. દરમિયાન તેના મોટા દીકરાએ દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં ખૂલ્યો નહોતો, જેથી તેની પાસે રહેલી બીજી ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. દરમિયાન પુરુષનો ગાદલા પર, બે મહિલાના સેટી પર અને એક મહિલાનો ઊંધા માથે મૃતદેહ જોવા મળ્યો હતો. ચારના મૃતદેહ પડ્યા હતા, ગેસ ગીઝર ચાલુ હતું. આ અંગે ફર્સ્ટ પર્સન એવા આ વિસ્તારના કોર્પોરેટર કૃણાલ છેલરે આ માહિતી આપી હતી.
પોલીસ દ્વારા પાડોશમાં તપાસ કરતાં જણાવ્યું હતું કે પરિવારમાં કોઈને કોઈ તકલીફ ન હતી. બધા વ્યવસ્થિત અને સાધન સંપન્ન હતા . એવામાં અત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. FSL ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. આ સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.