:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા પહેલા ચેક કરજો: મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નીકળી બનાવટી, જાણો કઈ રીતે બહાર આવ્યું સમગ્ર કૌભાંડ

top-news
  • 11 Jul, 2024

દેશમાં મોંધવારી એટલી હદે વધી છે કે લોકો પૈસા કમાવવા માટે ઓછી મહેનતે વધુ કામવવાની લાલચે નવા શોર્ટ કટ શોધી લેતા હોય છે. જેને પરિણામે રોજ કોઈને કોઈ કૌભાંડ સામે આવે છે. નકલી શાળા, નકલી કોલેજ ,નકલી કચેરીઓ અને તેમાં નકલી વહીવટદારોતો જોવા મળ્યા છે. પરંતુ હવે આ નકલી બજાર અટેલી હદે વધ્યું છે કે બજારમાં હવે નકલી ડૉક્ટરની સાથે તેમની નકલી હોસ્પિટલ પણ ઝડપાઇ છે.  

તાજેતરમાં અમદાવાદના બાવળા તાલુકાના નળ સરોવર રોડ પર આવેલા કેરળ ગામમાં અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નામથી નકલી હોસ્પિટલ ખોલીને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતો ડૉક્ટર ઝડપાઇ ગયો છે. અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમારના જણાવ્યા અનુસાર અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલા મૃત્યુને પગલે ત્યાં દરોડો પાડવામાં આવતા ત્યાં પ્રેક્ટિસ કરતો ડૉક્ટર પણ નકલી હોવાનું જાણવા મળ્યું હતું . તરતજ તંત્ર દ્વારા ત્યાં સીલ લગાવીને ડોકટરની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. 

વધુમાં અનન્યા હોસ્પિટલમાં બીજા અનેક વિભાગો જેવા કે સર્જરી, યુરોલોજી, ગાયનેકોલોજી, પેડિયાટ્રિક્સ, ઓર્થોપેડિક્સ, ઇએનટી, ત્વચા અને દાંતની સારવાર કરવા માટેના વિભાગો ચાલતા હોવાની જાણકારી પણ મળી છે જેની નોંધ લઇને કાર્યવાહી કરવામાં આવી હતી . આ બોગસ હોસ્પિટલ એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બે દુકાનની કોમર્શિયલ બિલ્ડિંગમાં ભાડાની જગ્યાએથી ચલાવવામાં આવતી હતી. 

કેરળ,એક નાનકડું ગામડું છે,પરંતુ એ ગુજરાત સરકારના સૂચિત ઔદ્યોગિક વિસ્તારોમાંનું એક, સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર છે. જ્યાં મુખ્યત્વે મજૂર વર્ગ વધુ વસવાટ કરે છે.ત્યાં નજીકમાં સરકારી હોસ્પિટલ સિવાય અન્ય કોઈ હોસ્પિટલની સુવિધાન હોવાથી મજૂર વર્ગ આ અનન્યા  હોસ્પિટલમાં જ સારવાર માટે આવતા  હતા. નાની મોટી બીમારીમાં તો સાધારણ દવાઓથી કામ થઈ જતું હતું ,પણ આ હોસ્પિટલમાં સર્જરી પણ કરવામાં આવતી હતી. તે કેવી રીતે થતી તે અંગે હવે શંકા વ્યકત કરવામાં આવી રહી છે 

આ હોસ્પિટલમાં જ્યારે એક સગીરનું મૃત્યુ થયું અને તેનો વિડીયો વાઇરલ થયો ત્યારબાદ તંત્ર જાગૃત બન્યું અને તપાસ કરતાં જાણવા મળ્યું કે ત્યાંના કહેવાતા ડોકટર મેહુલ ચાવડા પાસેની MBBS ડિગ્રી પણ નકલી છે. હોસ્પિટલમાં દાખલ સગીરાના સગાએ ડૉક્ટરને વારંવાર વિનંતી કરવા છતાં દર્દીને દાખલ કર્યા બાદ રિપોર્ટ આપ્યો ન હતો. વળી બનાવટી હોસ્પિટલે દર્દી પાસેથી 1.5 લાખ.રૂ. ખંખેરી લીધા બાદ તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવાની પરિવારના સભ્યોને સલાહ પણ આપવામાં આવી હતી. ઘટનાને પગલે હોસ્પિટલના ડૉક્ટરની ત્યારબાદ ધરપકડ કરવામાં આવી અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.