પ્રેમપ્રકરણમાં હત્યાકાંડ સર્જાયો હોવાનું અનુમાન, હમણા પોલીસ કરશે ખુલાસો
શહેરના વિરાટનગરમાં એક જ પરીવારના ચાર સભ્યોની કરપીણ હત્યા મામલે માત્ર 48 કલાકમાં ઘરના મોભી વિનોદ મરાઠીની ગુજરાત બહારથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સાથે અન્ય ચાર લોકોની પણ અટકાયત કરવામાં આવી છે.
પોલીસ માની રહી છે કે, એક પ્રેમ પ્રકરણના કારણે સંપૂર્ણ હત્યા કાંડ સર્જાયો હોવાની વાત બહાર આવી છે. તેવામાં મૃતક પરિણીતા કોઇના પ્રેમમાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેના કારણે પતિએ તેની પત્ની, પત્નીની નાની અને બે સંતાનનો ભોગ લીધો છે. આમ કોલ ડિટેલ્સ આધારે પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી છે. પોલીસે ટીમો બનાવી અલગ અલગ રાખી પુછપરછ કરી રહી છે. જ્યારે મહારાષ્ટ્ર તરફ મુખ્ય આરોપી વિનોદ મરાઠી હોવાનુ જાણવા મળતા પોલીસે ધરપકડ કરી છે. હાલ આ મામલે ચોક્કસ માહિતી સામે આવી નથી. પોલીસ હજુ પણ આ કેસમાં હત્યા અંગેનુ રહસ્ય સ્પષ્ટ પણે ખોલી શકી ન હોવાનું નકારી શકાય તેમ નથી.
શહેરના ઓઢવ વિરાટનગર વિસ્તારમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30માં એક પરીવારના 4 સભ્યોની લાશ મળી હતી. લાશની તપાસ કરતા પ્રાથમિક તપાસમાં તેમને છરીના ઘા મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. જોકે મોડી રાત્રે અમુક તપાસ ન થતાં બુધવાર સવારથી જ એફએસએલની ટીમો અને ટેકનિકલ એનાલીસીસની ટીમો આ કેસની તપાસમાં જોડાઇ ગઇ હતી. મૃતક સોનલ, દિકોર ગણેશ, દિકરી પ્રગતિ અને પત્નીની નાની સુભદ્રાબેનની હત્યામાં વિનોદ સાથે અન્ય કોઇ હતુ કે, કેમ તે માટે પોલીસે ઘરમાંથી ફિંગરપ્રિન્ટ પણ મેળવ્યા છે. એકલા વિનોદે કેવી રીતે ઠંડા કલેજે એક એક સભ્યોની હત્યા કરી હતી.
કેમ કે ચારેને એકસાથે માર્યા હોત તો ઝપાઝપી કે અન્ય તોડફોડ થઈ રૂમમાં થઈ હોત, પરંતુ એફએસએલની તપાસમાં તેવું કંઇ ધ્યાને આવ્યું નથી. તેના કારણે સ્પષ્ટ થયું છે કે વિનોદે તમામને કંઇ કેફી પીણું પીવડાવી કે પછી સૂઇ ગયા બાદ હત્યા કરી હશે અને તેની સાથે કોઇ અન્ય હત્યારો જોડાયેલો છે કે કેમ એ અંગે પણ પોલીસે ઊંડાણપૂ્ર્વક તપાસ હાથ ધરી છે. વિનોદ મહારાષ્ટ્રના સાંગલી તરફ ગયો હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ ક્રાઇમબ્રાંચની ટીમે તેને દબોચી લીધો છે.
પોલીસની પ્રાથમિક તપાસ અને ટેક્નિકલ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક સોનલ અન્ય લોકોના સંપર્કમાં હતી અને તે અન્ય કોઇને પ્રેમ કરતી હતી આમ તેને આ હત્યા કાંડ સાથે કોઇ લેવા દેવા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેવામાં કોલ ડિટેલ્સ આધારે પોલીસે ચાર જેટલા શખ્સોની અટકાયત કરી છે. તેમની અલગ અલગ ટીમો સઘન પુછપરછ કરી રહી છે. આમ પ્રેમપ્રકરણમાં જ હત્યાકાંડ થયો હોવાનુ હાલ તો સ્પષ્ટ માની શકાય તેમ છે.
69 , 1