જાણો ઉભા રહીને પાણી પીવાના ગેરફાયદા…
જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો ચેતી જઝો, સાંભળવામાં નાની લાગતી આ વાત ગંભીર નુકસાન નોતરી શકે છે. રોજબરોજની જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ઉભા રહીને પાણી પીવે છે, પણ કહેવાય છે કે, ને જીવન કુદરતે આપલી અમુલ્ય ભેટ છે જેના પગલે ઉભા રહીને પાણી પીવાની આદત બદલવી આપણા સૌ માટે હિતાવહ છે.
આયુર્વેદ મુજબ ઉભા રહીને પાણી પીવાના ગેરફાયદા : આયુર્વેદ અનુસાર, ઉભા રહીને પાણી પીવાથી હંમેશા પાચનતંત્ર અને આસપાસના અંગોમાં સમસ્યા થાય છે. તેમજ શરીર પાણીને યોગ્ય રીતે શોષી શકતું નથી.
શરીરને પોષક તત્વો મળતા નથી: ઉભા રહીને પાણી પીવાથી તે સીધું અંદર જાય છે, જેથી જરૂરી પોષક તત્વો અને વિટામિન્સ લીવર અને પાચન તંત્ર સુધી પહોંચતા નથી. વાસ્તવમાં, જ્યારે તમે ઉભા થઈને પાણી પીવો છો, ત્યારે તે શરીરમાં ઝડપથી નીચે જાય છે. જેના કારણે ફેફસાં અને હૃદય યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આ ઓક્સિજનના સ્તરને પણ ખલેલ પહોંચાડે છે.
અપચાની સમસ્યા વધી શકે છે : જ્યારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ, ત્યારે ચેતા તણાવની સ્થિતિમાં હોય છે જે પ્રવાહી સંતુલનને વિક્ષેપિત કરી શકે છે, શરીરમાં ઝેરનું નિર્માણ થવાનું જોખમ વધારે છે અને અપચાનું કારણ બને છે.
સંધિવા અને સાંધાને નુકસાન : ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે જે સંધિવાને ઉત્તેજિત કરે છે, જે સંધિવા અને સાંધાને નુકસાન પહોંચાડે છે.
એસિડ વધવાનો ભય : ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ પણ રહે છે. એસિડ વધવાથી ગેસ્ટ્રિક સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
સંશોધન શું કહે છે
તાજેતરના સંશોધન મુજબ, જ્યારે તમે ઉભા રહીને પાણી પીવો છો, ત્યારે પાણીનો પ્રવાહ વધુ હોય છે અને તે શરીરની આખી સિસ્ટમને અસર કરે છે અને તેનાથી હૃદય અને ફેફસાને લગતી કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ઉભા રહીને પાણી પીવાની હંમેશા અવગણના કરવી જોઈએ.
58 , 1