:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બોલીવુડઃ અભિનેત્રી સુષ્મિતા સેન આર્યા 3 માં આર્યા સરીન તરીકે જોરદાર વાપસી કરવા માટે સંપૂર્ણરીતે તૈયાર

top-news
  • 13 Oct, 2023

બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન આર્યા 3 માં આર્યા સરીન તરીકે જોરદાર વાપસી કરવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે. 12 ઓક્ટોબરે સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ હતુ. ટ્રેલરમાં તેમના ઉગ્ર અવતારે લોકોના હોશ ઉડાવી દીધા છે. આર્યાની સાથે અભિનેત્રીએ વર્ષ 2020માં સ્ક્રીન પર વાપસી કરી છે. તાજેતરમાં જ તાલી માં તેમના શાનદાર અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા. તાલી માં સુષ્મિતા સેને એક ટ્રાન્સજેન્ડરનું પાત્ર નિભાવ્યુ હતુ.  

સુષ્મિતા સેનને પહેલા દમદાર પાત્ર મળ્યા નહીં. ફિલ્મોમાં તે ગ્લેમરસ રોલ કરવા સુધી જ સીમિત રહી ગઈ હતી. તે મુદ્દે અભિનેત્રીએ જણાવ્યુ કે આપણે આ મુદ્દે ફરિયાદ કરવી જોઈએ પરંતુ મને હજુ સુધી એ સમજાયુ નથી કે આ વિશેની ફરિયાદ કોને કરવાની. સુષ્મિતા વર્ષો સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહી તેમ છતાં ઈન્ડસ્ટ્રી અને દર્શકોએ તેમને ખુલ્લા દિલે અપનાવી.

આઠ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહી સુષ્મિતા સેન

અભિનેત્રીએ કહ્યુ, જીવનમાં એ વિચારવુ કે કદાચ આખી ઈન્ડસ્ટ્રીએ મને તે અવસર ન આપ્યો કે તેમણે મારી ક્ષમતાને ન ઓળખી તે ખૂબ નાની વાત છે. મોટી વાત તો તે છેકે 2024માં હું ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂરા કરીશ. હું 18 વર્ષની હતી જ્યારે હું આ રીતે સ્ટેજ પર ઊભી હતી અને મારી પહેલી મુલાકાત પોતાના લોકો, પોતાના દેશ અને પોતાની ઓળખ સાથે થઈ હતી. 30 વર્ષ બાદ મે જીવનમાં જે કંઈ પણ કર્યુ, તેમાં મારા લોકોએ મારો સાથ આપ્યો. આ એટલી મોટી વાત છે કે પોતાના કરિયરના ચરમ પર આઠ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહેવા છતાં મારો સ્વીકાર કરવામાં આવ્યો. તે જ ઈન્ડસ્ટ્રીએ ફરીથી આટલા પ્રેમથી મારુ સ્વાગત કર્યુ. કેમ ? કેમ કે મારા દર્શક અદ્ભુત છે, જ્યાં સુધી તેઓ મને જોવા નહીં ઈચ્છે ત્યાં સુધી કોઈ કંઈ નહીં કરી શકે. 

મારે એક મેચ્યોર લવ સ્ટોરી કરવી છે

સુષ્મિતા સેને આ તબક્કાને પોતાની બીજી ઈનિંગ ગણાવતા કહ્યુ કે તે કેવી રીતે ભૂમિકાઓની રાહ જોઈ રહી છે. તેમણે કહ્યુ, જ્યારે 2020માં આ બીજી શરૂઆત થઈ, તો હું એક ન્યૂકમર બની ગઈ. ખૂબ લાંબી યાદી છે. મારે એક મેચ્યોર લવ સ્ટોરી કરવી છે. હું એક જોરદાર એક્શન ફિલ્મ કરવા માંગુ છુ. જે હજુ સુધી કોઈએ ન કરી હોય. હું સૌથી ખરાબ, સૌથી ખતરનાક વિરોધીની ભૂમિકા નિભાવવા ઈચ્છુ છુ, જેને તમે ક્યારેય ન જોઈ હોય.

આ દિવસે સ્ટ્રીમ થશે આર્યા 3

સુષ્મિતાએ કહ્યુ, તે બધુ જ આર્યા સીઝન 3 માં છે. તો બસ આટલુ જ. આ ખૂબ લાંબી યાદી છે. આ તો એક શરૂઆત છે પરંતુ આ વર્ષે મને બે ખૂબ સારા કામ કરવાની તક મળી. હું ખૂબ આભારી છુ અને મને આશા છે કે આ ચાલુ રહેશે અને મને આ રીતે વધુ કામ કરવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે 3 નવેમ્બરથી આર્યા 3 ડિઝ્ની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.