:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અલ્લુ અર્જુનની‘પુષ્પા 2’ના મેકર્સે આપ્યું મોટું અપડેટ: 200 દિવસ પછી, પુષ્પા રાજ થિયેટરોમાં કરશે રાજ...

top-news
  • 29 Jan, 2024

અલ્લું અર્જુનની મૂવી પુષ્પાથી તેના ચાહકોમા પુષ્કળ વધારો થયો , પુષ્પાના રીલીઝ બાદ ચાહકો ઘણા સમયથી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની રાહ જોઈ રહ્યા છે. પુષ્પા ધ રાઇઝ દેશભરના સિનેમાઘરોમાં ભારે હિટ રહી હતી. તેથી હવે દર્શકો ફિલ્મના ભાગ 2 એટલે કે પુષ્પા ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.તે  દરમિયાન,  નિર્માતાઓએ ફિલ્મ સંબંધિત અપડેટ શેર કરી છે.

લોકડાઉન બાદ ડિસેમ્બર 2021માં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોને દિવાના બનાવી દીધા હતા. પરિણામ એ આવ્યું કે અલ્લુ અર્જુન સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

પુષ્પા 2નું ટ્રેલર ગયા વર્ષે અલ્લુ અર્જુનના જન્મદિવસ પર 8 એપ્રિલે રિલીઝ થયું હતું. જેને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો અને તેની સાથે ટ્રેલરને થોડા જ કલાકોમાં લાખો વ્યૂઝ મળ્યા હતા. હવે અલ્લુ અર્જુનના ચાહકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.

મેકર્સે પુષ્પા 2નું અપડેટ આપ્યું છે પુષ્પા 2 નું નિર્માણ મિથરી મૂવી મેકર્સના બેનર હેઠળ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની રિલીઝ અંગે અપડેટ આપતા, નિર્માતાઓએ માહિતી આપી હતી કે હવે પુષ્પા 2ની રિલીઝ માટે માત્ર 200 દિવસ બાકી છે, એટલે કે 200 દિવસ પછી, પુષ્પા રાજ થિયેટરોમાં રાજ કરશે.

‘પુષ્માઃ ધ રૂલ’નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ લીડ રોલમાં જોવા મળશે. ‘પુષ્માઃ ધ રૂલ’નું નિર્માણ મિથરી મૂવી મેકર્સ અને મુત્તમશેટ્ટી મીડિયા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

અલ્લુ અર્જુનના પાત્રની શરૂઆતની જર્ની પુષ્પા ધ રાઇઝમાં બતાવવામાં આવી હતી. આ ફિલ્મમાં અભિનેતા ચંદનના દાણચોરના રોલમાં જોવા મળ્યો હતો, જે ધીરે ધીરે મોટો સ્મગલર બની જાય છે. દરમિયાન, ઝડપથી પ્રગતિ કરી રહેલા પુષ્પા રાજને ઘણા દુશ્મનોનો સામનો કરવો પડે છે, જેમની સાથે અભિનેતા પુષ્પા 2માં ટકરાતો જોવા મળશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎