:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

'બિનાકા ગીતમાલા'ના ઉદ્ઘોષક અમીન સયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે,મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

top-news
  • 21 Feb, 2024

અમીન સયાની જેઓ ગોલ્ડન અવાજના માલિક હતા તેમનું આજે  દુખદ નિધન થયું છે. આ વાતની પુષ્ટી તેમના દિકરાએ કરી છે. અમીન સયાનીને  હાર્ટ એટેક આવતા 91 વર્ષની ઉંમરે નિધન થયું છે. અમીન સયાનીના પુત્ર રઝીલ સયાનીએ તેમના અવસાનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે અમીન સયાનીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક HN રિલાયન્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અમીન સયાની રસ્તામાં જ મૃત્યુ પામ્યા. તેમના જણાવ્યા મુજબ સયાનીને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા 

તે એક સમયના રેડિયો પ્રેજેન્ટર હતા અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પણ તેની ખાસ ઓળખ હતી. તેમના નિધનથી તેના ચાહકો પણ દુખી થયા છે. અમીન સયાનીનો જન્મ 21 ડિસેમ્બર 1932ના રોજ મુંબઈમાં થયો હતો. અમીન સયાનીનો પરિચય તેમના ભાઈ હમીદ સયાની દ્વારા રેડિયોની દુનિયામાં કરાવ્યો હતો. તેમણે તેમની કારકિર્દીના પ્રથમ 10 વર્ષ અંગ્રેજી કાર્યક્રમો કર્યા. ઓલ ઈન્ડિયા રેડિયોને દરેક ઘરમાં લોકપ્રિય બનાવવાનો શ્રેય પણ તેમને આપવામાં આવે છે.

અમીન સયાનીએ માત્ર પડદાં પર પોતાના અવાજથી લોકોનું મનોરંજન કર્યુ છે સાથે કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. તે તીન દેવિયા, ભૂત બંગલા, કત્લ અને બોક્સર જેવી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળ્યા છે. આ ફિલ્મોમાં  તે શોના પ્રેજેન્ટર તરીકે રોલમાં જોવા મળ્યા હતા.

અમીન સયાનીએ પોતાના કરિયરમાં અનેક એવોર્ડ જીત્યા છે. તેમણે વર્ષ 2009માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમણે 1992માં લિમ્કા બુક ઓફ રેકોર્ડથી પર્સન ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો. તેમણે વર્ષ 1991માં ઈન્ડિયન સોસાયટી ઓફ એડવટાઈર્ઝ દ્વારા ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમીન રાજ કપૂરને સ્કૂલના સમયથી ઓળખતા હતા. આ સિવાય તે મુકેશને પણ ઓળખતા હતા. સિંગર મુકેશને તે સૌથી દયાળુ માણસ માનતા હતા. આ સિવાય સિંગર કિશોર કુમાર સાથે પણ સારું બોન્ડિંગ હતુ. અમીન સયાની ગાયકો સાથે વધુ સંકળાયેલા હતા કારણ કે તેઓ પોતે એક સમયે ગાયક બનવા માંગતા હતા. રેડિયો શ્રોતાઓ હજુ પણ 'બિનાકા ગીતમાલા'ના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી, જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને મધુર રીતે 'બહેનો અને ભાઈઓ' કહેતા હતા. આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું, તેમના નિધનના સમાચારે લોકોને દુઃખી કરી દીધા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎