:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મુકેશ અંબાણીના દિકરા અનંત -રાધિકા જામનગરમાં લગ્ન પૂર્વેની ઉજવણી કરશે ઇન્ટરનેશનલ ગેસ્ટ રિહાના,અરિજીત ઉપરાંત દિલજીત કરશે ઈવેન્ટમાં પરફોર્મ

top-news
  • 24 Feb, 2024

અનંત અંબાણી -રાધિકા મર્ચન્ટ ના લગ્ન  ભારતના સૌથી મોટા લગ્નોમાંથી એક બનવા જઈ રહ્યા છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી 12 જુલાઈના રોજ મુંબઈમાં ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે . માર્ચની શરૂઆતમાં જામનગરમાં લગ્ન પૂર્વેની ઉજવણી થનાર છે. જે માટે દેશ-વિદેશથી ખાસ મહેમાનો ને આમંત્રિત કરવામાં આવેલ છે.

મહેમાનોની લિસ્ટમાં દુનિયાના સુધીના સૌથી પ્રભાવી અને સફળ લોકોના નામ શામેલ છે. આ ગ્રાન્ડ વેડિંગ પહેલા પ્રી-વેડિંગ ફંક્શન્સમાં રિહાના અને અરિજીત સિંહ જેવા સ્ટાર્સ પોતાનું ટેલેન્ટ બતાવશે. તેના ઉપરાંત દિલજીત દોસાંઝ અને અજય-અતુલ પણ આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાના છે. 

અરિજીત સિંહ અને વર્લ્ડ ફેમસ રિહાના એક સ્ટેજ પર ડ્યુએટ કરતા જોવા મળશે. બેસ્ટ સિંગર જ્યાં એક તરફ સ્ટેજ પર આગ લગાવશે ત્યાં જ બીજી તરફ જાદુગર ડેવિડ બ્લેન પણ પોતાની કમાલની ટ્રિક્સથી લોકોને એન્ટરટેઈન કરશે. બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર શાહરૂખ ખાન તો આ ફંક્શનમાં હશે જ તેના ઉપરાંત સુપરસ્ટાર રજનીકાંત, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, સલમાન ખાન, સૈફ અલી ખાન અને માધુરી પણ આ લગ્નમાં જોવા મળશે.

ત્યાં જ અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અજય દેવગણ, કાજોલ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને કટરીના કેફને પણ આ પ્રિ - વેડિંગમાં સ્પોટ કરવામાં આવશે.

વધુ  અને વરરાજાએ તાજેતરમાં જ તેમના લગન લખવાની વિધિની  ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ વિધિ, જેમાં પ્રથમ ભગવાનને અને પછી નજીકના પરિવારજનોને આપવામાં આવેલા લેખિત આમંત્રણોનો સમાવેશ થાય છે, તે 16 ફેબ્રુઆરીના રોજ જામનગર, ગુજરાત ખાતે, અંબાણી પરિવારની એસ્ટેટ ખાતે યોજાયો હતો. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎