:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

એક્શન-થ્રીલરમાં મિર્ઝાપુરને પણ ટક્કર મારનાર વેબ સિરીઝ: બે સીઝન પૂર્ણ કર્યા બાદ હવે ત્રીજા સિઝનની રાહે ..

top-news
  • 16 Apr, 2024

હાલમાં વેબ સિરીઝની દુનિયામાં 'મિર્ઝાપુર' પુષ્કળ ચર્ચાસ્પદ બની છે. તેનું કારણ તે સિરીઝમાં જે રીજનલ ટચ છે, કલાકારોની સ્ક્રીન પ્રેઝેન્સ છે, એ દરેકનું દિલ જીતી લે છે. અત્યાર સુધી તેની 2 સિઝન આવી ચૂકી છે અને લોકો ત્રીજી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની આ સફળતાથી પ્રેરણા મેળવીને તેના જેવી હવે આવી ઘણી સિરીઝ આવી રહી છે જે મિર્ઝાપુરને પણ ટક્કર આપી શકે છે. 'મિર્ઝાપુર'ની જેમ પ્રાદેશિક ટચ અને ભાષા સાથે ગુંડાગીરીનો એવો જ અંદાજ તેમાં જોવા મળશે.

આ સિરીઝમાં ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડનો રીજનલ ટચ જોવા મળ્યો હતો. લીડ હીરોનો અંદાજ પણ ગામઠી હતો. બોલવાની રીત ભાત, અને અંદાજ પણ પ્રાદેશિક ભાષામાં હતો. તેની બીજી સિઝન 2022માં આવી હતી. આ સિરીઝનું નામ છે 'અપહરણ'. સિરીઝની બંને સિઝનમાં અરુણોદય સિંહે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ એક એક્શન-થ્રિલર સીરીઝ છે. આ સિરીઝનું નિર્દેશન સિદ્ધાર્થ સેનગુપ્તાએ કર્યું હતું. 'અપહરણ'ની બંને સિઝન કિડનેપિંગ પર આધારિત છે, જેમાં સસ્પેન્સ, થ્રિલર અને મિસ્ટ્રી જોવા મળે છે. તેની ભાષા શૈલી અને જબરદસ્ત ડાયલોગ્સથી ભરપૂર છે.  Jio સિનેમા પર જોવા મળશે. 

'અપહરણ'ની પહેલી સિઝનમાં 12 એપિસોડ હતા, જ્યારે બીજી સિઝનમાં 11 એપિસોડ હતા. પ્રથમ સિઝને 2018નાં સ્ટ્રીમિંગ એવોર્ડ્સમાં 4 કેટેગરીમાં એવોર્ડ્સ જીત્યા હતા. તેને એકતા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. ચાહકો તેની ત્રીજી સીઝનની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અરુણોદય સિંહના પાત્ર રુદ્ર શ્રીવાસ્તવને ફરીથી સ્ક્રીન પર જોવાની માંગ છે. એવી અપેક્ષા છે કે તેની ત્રીજી સિઝન પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎