:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

IPL કૌભાંડ પર બનશે ફિલ્મ : જયપ્રદ દેસાઈ નકલી કૌભાંડને અનોખી રીતે દર્શાવશે ...

top-news
  • 30 Apr, 2024

ક્રિકેટ સમગ્ર વિશ્વની લોકપ્રિય રમત  છે. એમાંય આઈપીએલે  તો સૌથી વધુ નામના મેળવી છે.તેથી આઇપીએલ પર કોઇ નિર્માતા ફિલ્મ બનાવે તો એમાં કોઈ નવાઈ પામવા જેવી વાત નથી. નિર્માતાઓ એવી કોઈ વાર્તાની શોધમાં હોય છે કે જે દર્શકોને પસંદ આવે ,એટલે જ હાલ માં ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે, આઈપીએલ કૌભાંડ પર હવે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં આઈપીએલના કૌંભાડ વિશે માહિતી દેખાડવામાં આવશે.

લેખક ફરાઝ એહસાનની બુક ફર્સ્ટ કોપીએ ક્રિકેટની સૌથી મશહુર ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન ચાલતા સટ્ટાને સંપૂર્ણ દેખાડશે. આ સમગ્ર કેસમાં ગુજરાતનું કનેક્શન પણ જોવા મળશે. તેના પુસ્તકમાં નકલી આઈપીએલની સ્ટોરી છે, આ એક એવો કિસ્સો બન્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય બુકીઓ સાથેની મિલીભગત પણ સામે આવી છે. હવે આ પુસ્તક પર ફિલ્મ બનવા જઈ રહી છે. નિર્માતા લેખક અને દિગ્દર્શક જયપ્રદ દેસાઈએ ફરાઝ એહસાનના પુસ્તક ‘ફર્સ્ટ કોપી’ પર ફિલ્મ બનાવવાનું કામ હાથમાં લીધું છે.

તેમણે ફિલ્મ કોણ છે પ્રવીણ તાંબે ? થી ચર્ચામાં આવ્યો જયપ્રદની વેબ સીરિઝ મુખબિર પણ ખુબ ચર્ચામાં રહી હતી. તેમની વધુ એક ફિલ્મ ફિર આઈ હસીન દિલરુબા ટુંક સમયમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.સૂત્રોનું કહેવું છે કે, જયપ્રદની આ ફિલ્મ નકલી IPL કૌભાંડની રોમાંચક સ્ટોરીને અનોખી રીતે જણાવશે. આ કૌભાંડને ક્રિકેટ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડ તરીકે યાદ કરવામાં આવે છે.

જાણકારી મુજબ જયપ્રદ દેસાઈની નકલી આઈપીએલ કૌભાંડ પર બનવા જઈ રહેલી આ ફિલ્મની સ્ટોરી હુસૈન દલાલ અને અબ્બાસ દલાલે સાથે મળીને લખી છે. આ બંન્ને ભાઈ બોલિવુડમાં 2 સ્ટ્રેટ્સ , યે જવાની હૈ દિવાની અને બ્રહમાસ્ત્ર જેવી ફિલ્મ લખવા માટે જાણીતો છે. બંનેએ એમેઝોન પ્રાઇમ વિડિયો સિરીઝ ‘ફર્ઝી’ પણ લખી છે. ભુવન બામની સીરિઝ ‘તાજા ખબર’માં પણ આ બંનેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.નકલી આઈપીએલ કૌભાંડ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ટુંક સમયમાં શરુ થશે. જેના નિર્માતા આ ફિલ્મને આવતા વર્ષ રિલીઝ કરવાની યોજના છે. બોલિવુડના એક મોટા હીરોને ફિલ્મમાં લીડ રોલ કરવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎