:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ફિલ્મ ‘અભિમાન’થી પોતાના કરિયરની કરી હતી શરૂઆતઃ જાણીતા ગાયિકા અનુરાધા પૌડવાલનો આજે જન્મદિવસ, ભક્તિ ગીતો અને ભજનથી મળી આગવી ઓળખ

top-news
  • 27 Oct, 2023

બોલિવૂડની પ્રખ્યાત સિંગર અનુરાધા પૌડવાલ 27 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અનુરાધાનો 69મો જન્મદિવસ છે. તેમનો જન્મ 1952માં મુંબઈમાં થયો હતો. અનુરાધાને કોઈ પરિચયની જરૂર નથી, પરંતુ સંગીત જગતમાં તેની વિશેષ ઓળખ ભજનો અને ભક્તિ ગીતો માટે મળી છે.અનુરાધા હાલમાં લાંબા સમયથી ફિલ્મોમાં ગાવાથી દૂર છે. એવામાં, આજે તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું.

અનુરાધાનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું, જેના કારણે તેનો ઝુકાવ શરૂઆતથી જ ફિલ્મો તરફ હતો. તેણે 1973માં ફિલ્મ ‘અભિમાન’થી પોતાના મ્યુઝિક કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી મુખ્ય ભૂમિકામાં હતા.આ ફિલ્મમાં તેણે જયા માટે એક શ્લોક ગીત ગાયું હતું. આ પછી તેણે વર્ષ 1976માં કાલીચરણ ફિલ્મમાં ગીત ગાયું. પરંતુ તેણે ફિલ્મ એકલા ગાવાની શરૂઆત ‘આપ બીતી’થી કરી. આ ફિલ્મનું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા આપવામાં આવ્યું હતું, જેમની સાથે અનુરાધાએ અન્ય ઘણા પ્રખ્યાત ગીતો ગાયા હતા. ફિલ્મોમાં ગાવાની સાથે તે સ્ટેજ શો પણ કરતી હતી. તેણે કિશોર કુમાર સાથે લગભગ 300 સ્ટેજ શો કર્યા.


લતા મંગેશકર અને આશા ભોંસલેની સાથે અનુરાધાનું નામ પણ હતું. પરંતુ અનુરાધાએ કારકિર્દીની ટોચ પર આવીને પોતાનો રસ્તો બદલી નાખ્યો. તેણે બોલિવૂડ ગીતો છોડીને ભક્તિ ગીતો, ભજન ગાવાનું શરૂ કર્યું. જેના કારણે તેની કારકિર્દી ધીરે ધીરે સમાપ્ત થવા લાગી. બાદમાં અનુરાધા પૌડવાલે સંગીતકાર અરુણ પૌડવાલ સાથે લગ્ન કર્યા. પરંતુ તે ટૂંક સમયમાં મૃત્યુ પામ્યા. જે બાદ અનુરાધા ખરાબ રીતે ભાંગી પડી હતી. જે પછી અનુરાધાએ માત્ર એક વર્ષમાં T-Series સાથે મળીને બે ગીતો આપવાનું ચાલુ રાખ્યું. ગાયિકાના બે બાળકો આદિત્ય અને કવિતા થયા.જેમાંથી આદિત્યનું નિધન થયું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎