:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રોશન સિંહ સોઢી આખરે પાછા ફર્યા : પાછલા 25 દિવસથી ગાયબ થયેલા કલાકારને ઘર યાદ આવ્યું, સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર નીકળી ગયા હતા

top-news
  • 18 May, 2024

પાછલા 25 દિવસથી ગાયબ થયેલા કલાકાર આખરે પાછા ફર્યા,  લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના રોશન સિંહ સોઢી એટલે કે ગુરચરણ સિંહ ને ઘરનો રસ્તો મળ્યો . છેલ્લા 25 દિવસથી તે ક્યાં હતો અને કઈ સ્થિતિમાં હતો તે અંગે કોઈને માહિતી નહોતી. પોલીસ પણ તેને સતત શોધી રહી હતી. પરંતુ 17 મેના રોજ તે પોતે ઘરે પરત ફર્યો હતો.છેલ્લા ઘણા દિવસોથી તેની શોધખોળ ચાલી રહી હતી, પરંતુ પોલીસ તેને શોધી શકી ન હતી.

અભિનેતાના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગુરચરણ સિંહના પિતા તેમના પુત્રની ગેરહાજરીથી ખૂબ જ પરેશાન હતા. પરંતુ અચાનક  અભિનેતાના પરત ફર્યા બાદ દરેકના મનમાં એક જ સવાલ હતો કે તેઓ આટલા દિવસ ક્યા અને શું કરતાં હતા. ગુરુચરણ સિંહ પોતે 17 મેના રોજ ઘરે પરત ફર્યા હતા. તે આવતાની સાથે જ પોલીસે તેની પૂછપરછ કરી છે. આ દરમિયાન અભિનેતાએ કહ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર ઘર છોડી ગયો છે. છેલ્લા 25 દિવસમાં તેઓ ક્યારેક અમૃતસર તો ક્યારેક લુધિયાણામાં હતા. જો ગુરુચરણ સિંહની વાત માનીએ તો તેઓ ઘણા શહેરોમાં ગુરુદ્વારા ગયા હતા અને ત્યાં રોકાયા હતા. 



પરંતુ જ્યારે તેને ખબર પડી કે હવે તેણે તેના ઘરે પાછા ફરવું જોઈએ, ત્યારે તે તરત જ પાછો આવ્યો. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે CCTV ફૂટેજ પણ તપાસ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણને લઈને ઘણી કડીઓ મળી હતી. જ્યારે ગુરુચરણ 22 એપ્રિલે ઘરેથી મુંબઈ જવા નીકળ્યા ત્યારે તેઓ મુંબઈ પહોંચ્યા જ નહોતા. તેણે મુંબઈમાં તેને રિસીવ કરવા આવેલા વ્યક્તિને પણ ગેરમાર્ગે દોર્યો હતો. ત્યારબાદ ગુરુચરણે ATMમાંથી 14 હજાર રૂપિયા ઉપાડી લીધા, આ સમાચાર પણ સામે આવ્યા.પોલીસ પાસે કડીઓ હતી

તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણના દસથી વધુ નાણાકીય હિસાબો મળી આવ્યા હતા. એટલું જ નહીં તેની પાસે એકથી વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું હતું. નજીકના લોકો અને ડિજિટલ તપાસ બાદ પોલીસને જે હકીકતો મળી તે પરથી જાણવા મળ્યું કે ગુરુચરણનો ધર્મ તરફનો ઝોક વધી રહ્યો હતો. તેણે એક ખાસ મિત્ર પાસે પહાડો પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. છેલ્લા સીસીટીવી ફૂટેજમાં તે ઈ-રિક્ષા પછી પગપાળા જતો જોવા મળ્યો હતો.આમ દરરોજ નવી માહિતી મળતી હતી, પરંતુ અભિનેતાનું પરફેક્ટ લોકેશન કોઈને ખબર ન હતી.

ગુરુચરણ સિંહના પરત ફર્યા બાદ હવે આ મામલે પોલીસનું કહેવું છે કે અભિનેતા પ્લાનિંગ સાથે તેનું ઘર છોડીને ગયો હતો, તેથી શોધખોળ કરવા છતાં તેને કોઈ મળી શક્યું નથી. પોલીસે જણાવ્યું કે ગુરૂચરણ ગુમ થતા પહેલા પોતાનો મોબાઈલ દિલ્હીના પાલમ વિસ્તારમાં છોડીને ગયો હતો.મોબાઈલ ફોન ન હોવાના કારણે પોલીસ માટે તેને શોધવાનું મુશ્કેલ બની રહ્યું હતું. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ જોવાનું શરૂ કર્યું ત્યારે અભિનેતા ઈ-રિક્ષા બદલતો જોવા મળ્યો હતો. જેના કારણે તપાસ ચાલી રહી હતી કે તે પ્લાનિંગ સાથે દિલ્હીની બહાર ગયો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎