તો" દિલવાલે.." માં કોઇક બીજો હીરો લઈ લેવાયો હોત .. જ્યારે DDLJમાં કામ માટે શાહરૂખે નિર્માતાને 2 મહિના ટટાળાવ્યાં હતા
- 21 May, 2024
દેશની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં વીર ઝરા', 'રબ ને બના દી જોડી', 'મોહબ્બતેં' જેવી આઇકોનિક ફિલ્મો આપનાર આદિત્ય ચોપરા આજે 21મી મેના રોજ પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે ઇન્ડસ્ટ્રીની જ તે સમયની જાણીતી અભિનેત્રી રાની મુખર્જી સાથે પ્રેમ લગ્ન કરી ગુહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો ત્યારબાદ તેમણે બૉલીવુડ માટે ઘણી આકર્ષક ફિલ્મો બનાવી, જે સદાબહાર બનીને ઊભરી છે. જેમાંથી જ એક ફિલ્મ છે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' જેમાં શાહરૂખ ખાન અને કાજોલ લીડ રોલમાં જોવા મળ્યા હતા.
'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' 29 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. પરંતુ આ ફિલ્મનું દરેક ગીત આજે પણ સાંભળવા મળે છે. માત્ર ગીતો જ નહીં, 'જા સિમરન જા જી લે અપની ઝિંદગી..' જેવા અનેક સંવાદો પણ એવરગ્રીન છે, જે આજે પણ લોકોના હોઠ પર છે. આ ફિલ્મ આદિત્ય ચોપરાએ ડિરેક્ટ કરી હતી. આ તેની પ્રથમ નિર્દેશિત ફિલ્મ હતી. હવે તેણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે શરૂઆતમાં શાહરુખે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' કરવાની ના પાડી દીધી હતી. આ પછી તેણે શાહરૂખને 2 મહિના સુધી મનાવ્યો.
આદિત્યએ 1995માં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'થી દિગ્દર્શક કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે કહ્યું કે તે શાહરૂખને 'ડર'ના સેટ પર મળ્યો હતો. આ દરમિયાન બંને ખૂબ જ ગાઢ મિત્રો બની ગયા. ત્યારે આદિત્યએ નક્કી કર્યું હતું કે તે પોતાની પહેલી ફિલ્મમાં શાહરૂખને કાસ્ટ કરશે. તેણે આ વાત શાહરૂખને પણ કહી હતી. શાહરૂખ પણ તે સમયે ઈન્ડસ્ટ્રીમાં નવો હતો. તેણે વિચાર્યું કે આદિત્ય તેના માટે એક એક્શન ફિલ્મ બનાવશે.
પરંતુ જ્યારે આદિત્યએ શાહરૂખને 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ની વાર્તા સંભળાવી ત્યારે તે તેનાથી પ્રભાવિત થયો નહોતો. કારણ કે DDLJ એવી ફિલ્મ નહોતી જે શાહરૂખ ઇચ્છતો હતો. આ સાથે આદિત્યએ તેને એમ પણ કહ્યું કે તેની આંખોમાં કંઈક છે, જે માત્ર એક્શન પર વેડફી ન શકાય. શાહરૂખ ફિલ્મની વાર્તાથી પ્રભાવિત થયો નહોતો. પણ તેને ના કહેવાની પણ ખબર ન હતી. આ કારણે આદિત્ય 2 મહિના સુધી શાહરૂખને મનાવવા માટે તેની ફિલ્મના સેટ પર જતો રહ્યો.
પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે આદિત્યની ધીરજ ખૂટી ગઈ. તેણે શાહરૂખને કહ્યું, “જો તમે ફિલ્મ કરવા માંગતા ન હોવ તો કોઈ વાંધો નથી. પરંતુ 'પ્રેમ કથાઓ' માટે તમારા દરવાજા કાયમ માટે બંધ ન કરો. કારણ કે આ દેશમાં કોઈ તો જ સુપરસ્ટાર બની શકે છે જો તે માતાનો દીકરો હોય કે બહેનનો ભાઈ હોય અને તમારા કોઈ ચાહકે તમને કહ્યું કે તે તમને ખૂબ પસંદ કરે છે. પણ દરેક ફિલ્મમાં તું મરી જાય એ તેમને પસંદ નથી." આ પછી જ્યારે આદિત્ય શાહરૂખને મળ્યો ત્યારે તેણે ફિલ્મ માટે મંજૂરી આપી દીધી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ