:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેશનું નામ થયું રોશન : FTIIના ચિદાનંદ એસ નાઈકની 16 મિનિટની ટૂંકી લોકકથા પર આધારિત ફિક્શન ફિલ્મને લા સિનેફ પ્રાઈઝ

top-news
  • 24 May, 2024

તાજેતરમાં ફ્રાન્સના કાન્સ શહેરમાં ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતુ , આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશથી ખાસ કલાકારોને આમંત્રિત કરવામાં આવતા હોય છે. , જેમાં ભારતની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી પણ દર વર્ષે અનેક હસ્તીઓને ભાગ લેવા આમંત્રિત કરવામાં આવે છે.હાલમાં યોજાયેલ  પ્રતિષ્ઠિત વાર્ષિક ફિલ્મ ફેસ્ટીવલ હાલ ફિલ્મ અને ફેશન જગતમાં ચર્ચાનો વિષય છે.

જેનું એક માત્ર કારણ સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો', હા આ એક શોર્ટ ફિલ્મને FTII ની ભારતીય વિદ્યાર્થીનીને ગુરુવારે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ શોર્ટ માટે લા સિનેફનું પ્રથમ ઇનામ મળ્યું છે.ચિદાનંદે આ શોર્ટ ફિલ્મ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેઓએ ચાર દિવસમાં ફિલ્મ બનાવી છે. વધુમાં કહ્યુ કે " મને મૂળભૂત રીતે આ ફિલ્મ ન બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. " તે દેશના કર્ણાટક રાજ્યની લોકકથાઓ પર આધારિત છે.



આ એવી વાર્તાઓ છે જેની સાથે અમે મોટા થયા છીએ, તેથી હું બાળપણથી જ આ વિચારને લઈને મોટો થયો ."કન્નડ ભાષાની આ ફિલ્મની વાર્તા એક લોકકથા પર આધારિત છે. ફિલ્મમાં એક વૃદ્ધ મહિલાની મરઘીની ચોરીને કારણે તેનું ગામ કાયમ માટે અંધકારમાં ડૂબી જાય છે. આ ફિલ્મને એવોર્ડની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. જ્યુરીમાં કુલ પાંચ સભ્યો હતા અને બેલ્જિયમ અભિનેત્રી લુબના અજાબલે જ્યુરીની અધ્યક્ષતા કરી હતી.

ફિલ્મ ડાયરેક્ટર ચિદાનંદ એસ નાઈકેએ MBBSની ડિગ્રી પૂર્ણ કર્યા પછી થોડો સમય મેડિકલ પ્રેક્ટિસ કરી હતી ત્યાર બાદ તેઓ ફિલ્મ નિર્માણ તરફ વળ્યા હતા. નાઈકે કહ્યું, “જ્યારે મેં આ પગલું ભર્યું ત્યારે મારા માતા-પિતા મારાથી ખૂબ નારાજ હતા. પરંતુ હવે પાંચ વર્ષ પછી હું તેમના સમર્થનથી અહીં છું.”

ફિલ્મનું શૂટિંગ પૂણેમાં થયું હતું. નાઈકે બંજારા સાહિત્ય પરના તેમના સંશોધનમાંથી 12 મિનિટની ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી જે ગયા વર્ષે ઈન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. ફિલ્મનું નામ હતું ‘ભૂલ ચૂક ટૂલ્સ’.