:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

બચ્ચન પરિવારમાં પડશે તિરાડ ? એશ-અભિષેક બંને આરાધ્યા માટે ફરીથી સાથે આવશે કે કેમ જાણો જાણીતા જ્યોતિષશાસ્ત્રીની ભવિષ્યવાણી

top-news
  • 26 Jul, 2024

તાજેતરમાંજ અનંત-રાધિકાના લગ્ન સમાપ્ત થયા હતા.આ લગ્ન સમારંભમાં દેશ વિદેશથી જાણીતી હસ્તીઓ જેમાં ક્રિકેટરો, ગાયક. એક્ટર, નેતાઓ,વેપારીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં બચ્ચન પરિવાર પણ આમંત્રિત હતો. પરંતુ બચ્ચન પરિવાર એક સાથે ન આવતા મીડિયાને વાત કરવાનો ચાન્સ મળી ગયો ,જેમાં અભિષેક પિતા અમિતાભ બચ્ચન ,જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા સાથે આવ્યો હતો ,જ્યારે ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે આવી હતી.

ત્યારથીજ મીડિયામાં આ સમાચાર હવાની જેમ ફેલાવા માંડ્યા કે શું એશ અને અભિ અલગ થવાના છે ? એવામાં એક જાણીતા જ્યોતિષશાસ્ત્રીએ જણાવ્યું હતું કે બંનેના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવી છે, અને તેઓ અલગ થવાની સાંભવનાઓ જણાઈ રહી છે. જાણીતા જ્યોતિષશાસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમના લગ્ન જીવન માટે મુશકેલીભર્યો સમય છે.



અભિષેક અને ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાય સમયથી સમાચારોમાં છે. અને તેમના લગ્ન વિશે મીડિયામાં ઘણી અફવાઓ ચાલી રહી છે કે આ કપલ વચ્ચે બધુ બરાબર નથી અને તેઓ એકબીજાની સાથે લાંબા સમયથી રહેતા નથી. જ્યારે તેમની દીકરી આરાધ્યા બચ્ચન પણ તેની માતા ઐશ્વર્યા સાથે જ રહે છે.

 આ બધાની વચ્ચે અભિષેક બચ્ચને એક છૂટા છેડાની ઇન્સ્ટાગ્રામની પોસ્ટને લાઇક પણ કરી હતી અને ઐશ્વર્યાને ઇન્સ્ટાગ્રામમાં અનફોલો કરી જેથી છૂટાછેડાની વાતો ને વાંધારે વેગ મળ્યો હતો. માહિતી મુજબ જાણીતા જ્યોતિષશાસ્ત્રી જગન નાથ ગુરુજીએ આ બાબતે કહ્યું હતું કે તેઓ ફક્ત તેમની પુત્રી પ્રત્યેના લાગાવ- પ્રેમ માટે સાથે છે.

ગુરુજી એતો અગાઉ જ બંનેના જન્માક્ષર જોઈને બંનેના છૂટા છેડા અંગે વાત કરી હતી.તેમણે ઉમેર્યું હતું કે બંને પોતાના લગ્ન જીવન ટકાવી રાખવાના પ્રયત્ન કરી રહયા છે.તે છત્તા આપણે બન્નેને કેટલાય પ્રસંગોમાં અલગ અલગ આવતા જોયા છે, આવનાર સમયમાં બંને ચોક્કસ છૂટાછેડા લેશે એવું કહી શકાય નહીં ,પરંતુ તેઓ ચોકકસ અલગ જૉવા મળશે. બનેમાં મિત્રતા અને આદર કાયમ રહે તે માટે તેઓ પ્રયન્ત કરશે.