:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

‘મેં અટલ હૂં’નું ટ્રેલર લોન્ચ: વાજપેયીની બાયોપિક ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની અદ્ભુત ઍક્ટિંગ ....

top-news
  • 21 Dec, 2023

 પંકજ ત્રિપાઠી ફરી થિયેટર્સમાં મચાવશે ધમાલ, ‘મેં અટલ હૂં’નું દમદાર ટ્રેલર થયુ રિલીઝ , ત્રણ વાર ભારતના વડાપ્રધાન બની ચૂકેલા સ્વ. અટલ બિહારી વાજપેયીને આજે દરેક ભારતીય સમ્માન સાથે યાદ કરે છે. હવે તેમનુ આદર્શ નેતા તરીકેનું જીવન સિનેમાઘરોમાં જોવા મળશે. પંકજ ત્રિપાઠી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તેનુ શાનદાર ટ્રેલર હાલમાં લોન્ચ થયુ છે. પંકજ ત્રિપાઠી સહિતના સ્ટાર્સ પોતાના પાત્રમાં ફિટ જોવા મળી રહ્યા છે.

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા પંજક ત્રિપાઠી આ ફિલ્મના માધ્યમથી અટલ બિહારી વાજપેયીની વિરાસતને જીવંત કરવા અને તેમના પ્રભાવશાળી કાર્યકાળને ફરી એકવાર દેશ સામે મૂકવા માંગે છે. આ ટ્રેલરમાં અટલ, લાલકૃષ્ણ અડવાણી સહિતના પાત્રો જોવા મળી રહ્યા છે, જે પોતાના રાજનૈતિક ભવિષ્ય પર ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે.

રવિ જાધવ દ્વારા નિર્દેશિત અને ભાનુશાળી સ્ટૂડિયોઝ લિમિટેડ અને લીજેન્ડ સ્ટૂડિયોઝ દ્વારા સમર્થિત આ ફિલ્મની પટકથા ઋષિ વિરમાની અને રવિ જાધવે લખી છે. જ્યારે સલીમ અને સુલેમાને મનોજ મુંતશિરના ગીતો સાથે સંગીત તૈયાર કર્યું છે. આ ફિલ્મ 19 જાન્યુઆરી, 2024ના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

પંકજ ત્રિપાઠીએ અગાઉ પ્રતિષ્ઠિત નેતા અટલ બિહારી વાજપેયીની મહત્વની ભૂમિકા ભજવવા અંગેનો તેમનો ઉત્સાહ શેયર કર્યો હતો. તેમણે વાજપેયીના ભાષણ, જીવનશૈલી અને ભારત માટેના દૂરંદેશી દ્રષ્ટિકોણને ઊંડાણપૂર્વક સમજવા માટે સઘન અભ્યાસ સહિત જરૂરી વ્યાપક તૈયારી પર ભાર મૂક્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો પંકજ ત્રિપાઠી આગામી દિવસોમાં ફિલ્મ ‘સ્ત્રી 2’માં જોવા મળશે. આ સિવાય તે બહુપ્રતિક્ષિત શ્રેણી ‘મિર્ઝાપુર 3’માં પણ જોવા મળશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎