:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

આમિર ખાને કરી નવી ફિલ્મની જાહેરાત: બનાવશે 'સિતારે જમીન પર', આ સિક્વલ દર્શકોને રડાવશે નહીં હસાવશે

top-news
  • 12 Oct, 2023



આમિર ખાને અપકમિંગ ફિલ્મ ‘સિતારે જમીન પર’ની જાહેરાત કરી છે. આ ફિલ્મની જાહેરાત કરવાની સાથે આમિર ખાને જણાવ્યું કે, આ ફિલ્મ લોકોની નબળાઈ કબૂલ કરવાના કોન્સેપ્ટ પર બનાવવામાં આવશે. 

આમિર ખાને જણાવ્યું છે કે, ‘ટૂંક સમયમાં ફિલ્મ ‘સિતારે જમીન પર’ પર કામ શરૂ કરવામાં આવશે. જે વર્ષ 2007માં રિલીઝ થયેલ ફિલ્મ ‘તારે જમીન પર’ની સીક્વલ હશે’ . પહેલી ફિલ્મમાં આમિર ખાને ઈશાન નામના બાળકની મદદ કરી હતી, હવે ફિલ્મ ‘સિતારે જમીન પર’માં 9 યંગ બાળકો મદદ કરતા જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં બાળકોની નબળાઈને એક્સેપ્ટ કરવાનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવશે. 

આમિર ખાને જણાવ્યું છે કે, ‘મેં આ વિશે ક્યારેય વાત કરી નથી અને હવે કંઈ વધુ કહી શકીશ નહીં. હું ફિલ્મનું ટાઈટલ જણાવી શકીશ. ફિલ્મનું નામ ‘સિતારે જમીન પર’ હશે. તમને મારી ફિલ્મ તારે જમીન પર યાદ હશે, તે જ રીતે આ ફિલ્મનું નામ ‘સિતારે જમીન પર’ છે. તારે જમીન પર ફિલ્મ એક ઈમોશનલ થીમ હતી, મારી અપકમિંગ ફિલ્મ કોમેડી હશે, જે તમને એન્ટરટેઈન કરશે. તારે જમીવ પર ફિલ્મમાં મેં ઈશાન નામના કેરેક્ટરની મદદ કરી હતી, આ ફિલ્મમાં 9 બાળકો મારી મદદ કરશે.’

લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા પછી એક્ટિંગમાંથી બ્રેક લીધો
આમિર ખાને વર્ષ 2022માં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ’ થયા પછી એક્ટિંગ કરિઅરમાંથી બ્રેક લીધો હતો. હાલમાં તેઓ પ્રોડક્શનમાં એક્ટીવ છે. હવે આમિર ખાન ફિલ્મ ‘સિતારે જમીન પર’ થી કમબેક કરશે. રિપોર્ટ અનુસાર આર. એસ પ્રસન્ન આ ફિલ્મને ડાયરેક્ટ કરી શકે છે. 

થોડા દિવસ પહેલા જ ફિલ્મ ‘લાહૌર 1947’ની જાહેરાત કરી હતી
આમિર ખાને 3 ઓક્ટોબરના રોજ ફિલ્મ ફિલ્મ ‘લાહૌર 1947’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ તેમના પ્રોડક્શન હાઉસ આમિર ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવશે અને આ ફિલ્મ રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરશે, આ ફિલ્મમાં આમિર ખાનની સાથે સની દેઓલ પણ જોવા મળશે. આ ફિલ્મનું બજેટ 100 કરોડ હોઈ શકે છે.