મુખ્યમંત્રી કેજરીવાલે ભાજપને ફેંકયો લલકાર
દિલ્હી નગર નિગમ એકીકરણ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યુ કે હિંમત હોય તો, સમય પર ચૂંટણી કરાવે અને તેમાં જીતીને દેખાડે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, જો એમસીડી ચૂંટણીમાં ભાજપ જીતી જાય છે, તો તેઓ રાજનીતિ છોડી દેશે.
શહીદ દિવસના અવસરે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે છેલ્લા કેટલાક દિવસથી જે જોવા મળી રહ્યુ છે, તે એક રીતે શહીદોના બલિદાનનુ અપમાન છે. કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી સરકાર દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી ટાળી રહ્યા છે. સૌ જાણે છે કે આ વખતે ભાજપનો સફાયો થવાનો હતો અને પોતાની હારથી બચવા માટે તે લોકોએ પહેલા તો સ્ટેટ ઈલેક્શન કમિશન પર દબાણ નાખીને ચૂંટણીને ટાળી અને હવે સુધારો લાવી રહ્યા છે, જેના દ્વારા ચૂંટણીને કેટલાક મહિનાઓ માટે ટાળવામાં આવી રહી છે, જે ઘણુ દુખદ છે.
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો આ દેશની અંદર ચૂંટણી થઈ નહીં તો જનતંત્ર કેવી રીતે બચશે. જનતાનો અવાજ કેવી રીતે બચશે. સૌથી વધારે દુખ આજના દિવસે ભગત સિંહની આત્માને થશે, જેમણે ફાંસી પર ચઢીને દેશને આઝાદ કરાવ્યો હતો. શુ આ દિવસ માટે આઝાદ કરાવ્યો હતો કે સરકાર આવશે અને ચૂંટણી જ ખતમ કરી દેશે. આ દેશની અંદર જનતાને સરકાર પસંદ કરવાનો મૂળભૂત અધિકાર છે.
95 , 1