:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

યમુના એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત બસ અને કાર વચ્ચેની ટક્કરમાં કારમાં સવાર પાંચ યાત્રીઓ જીવતાં ભડથું ...

top-news
  • 12 Feb, 2024

આજે સવારે યમુના-એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત સર્જાયાના અહેવાલ મળી રહ્યા છે. આગરાથી નોઈડા તરફ જતી ખાનગી બસનું ટાયર અચાનક પંચર થઇ જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના લીધે બસ અને કાર  વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. 

આ ઘટના સોમવારે સવારે આશરે પોણા આઠ વાગ્યે બની હતી. થોડીક વારમાં જ બંને વાહનો સળગી ગયા હતા. જેના લીધે એક્સપ્રેસ વે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે રવાના થઇ હતી. બસમાં સવાર યાત્રીઓને સુરક્ષિત બચાવવામાં સફળતા મળી પણ કારમાં સવાર પાંચ યાત્રીઓ જીવતાં ભડથું થઈ ગયા હતા. હજુ સુધી કાર અને મૃતકોની ઓળખ થઈ શકી નથી. 

અકસ્માત  બાદ સ્વિફ્ટ કારમાં બેઠેલા 5 લોકો જીવતા સળગી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક બસનું ટાયર અચાનક પંચર થઇ જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો ત્યારબાદ બસ બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાયા બાદ પાછળથી આવતી કાર બસ સાથે અથડાઈ હતી.

થોડીજ વારમાં અકસ્માત બાદ બસમાં આગ લાગી અને તેમાં  5 લોકોના મોત થયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી.ઘટનાની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડીએમ અને એસએસપી પોતે ઘટનાસ્થળે પહોંચ્યા.

હાલ મૃતકની ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે. SSP એ કહ્યું- આ દુર્ઘટના આજે સવારે મહાવન પોલીસ સ્ટેશનના આગરા-નોઈડા ટ્રેક પર માઈલસ્ટોન 117 પાસે થઈ હતી. ટાયર પંકચર થવાને કારણે બસ કાબૂ બહાર ગઈ હતી, જ્યારે પાછળથી એક સ્વિફ્ટ કાર તેની સાથે અથડાઈ હતી. અથડામણ બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે કાર સવારો બહાર નીકળી શક્યા ન હતા. દાઝી જવાથી 5 મુસાફરોના મોત થયા છે. બસના કેટલાક મુસાફરો પણ ઘાયલ થયા છે.

ઘટના અંગે માહિતી આપતા ગ્રેટર નોઈડા પોલીસે જણાવ્યું કે મૃતકોમાં એક 12 વર્ષીય સગીરનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય ચાર મૃતકોની ઉંમર 30-40 વર્ષની વચ્ચે છે. પોલીસે જણાવ્યું કે કારમાં 8 લોકો સવાર હતા, જેમાંથી ત્રણ મુસાફરોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા, જેમને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ત્રણેયને જેવરની નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્રણેય ઈજાગ્રસ્તોમાં 8-16 વર્ષના બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે અકસ્માત માં 5 લોકો જીવતા સળગી ગયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎