બિહારના લખીસરાય માર્ગ પર મોટો અકસ્માત: 8 લોકોના મોત, 6થી વધુ ગંભીર રીતે ઘાયલ...
- 21 Feb, 2024
બિહારના લખીસરાયમાંથી મોટી ખબર સામે આવી રહી છે. જ્યાં મોટો માર્ગ અકસ્માત થયો છે. જેમાં આઠ લોકોના મોત થવાની ખબર સામે આવી રહી છે. ત્યાં જ દુર્ઘટનામાં 6થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના રામગઢચોક વિસ્તારના બિહરોરા ગામની છે. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા વાહને ઓટોને જોરદાર ટક્કર મારી દીધી જેનાથી ઓટોના ચીથડા ઉડી ગયા. ઘટના લખીસરાય-સિકંદરા મુખ્ય માર્ગ પર બિહરૌરા ગાંમની નજીક બની છે.
15 લોકો ઓટોમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યા વાહને ઓટોને જોરદાર ટક્કર મારી હતી. અથડામણને કારણે હોબાળો મચી ગયો હતો, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ઘાયલ થયા હતા. મૃતકોમાં 8 લોકો મુંગેર જિલ્લાના જમાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છે. આ તમામ લોકો કેટરિંગનું કામ કરતા હતા, જેઓ કામ કરીને સિકંદરાથી લખીસરાય આવતા હતા.
મૃતકોમાં ઓટો ડ્રાઈવર મનોજ કુમાર, દિવાના કુમાર, છોટુ કુમાર, રામુ કુમાર, અમિત કુમાર સહિત 9 લોકોનો સમાવેશ થાય છે. ઓટો ડ્રાઈવર મનોજ જિલ્લાના મહિસોના ગામનો હતો. 5 ઘાયલોને સારવાર માટે પટના પીએમસીએચમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે આસપાસના લોકોએ જોયું તો તેમણે પોલીસને જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતાં જ આસપાસના અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર માટે સદર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ આ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ