:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સપાને બેઠક ફાળવતા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ નારાજ ફર્રુખાબાદ માટે તૂટી જઈશ પણ હું ઝૂકીશ નહીં

top-news
  • 24 Feb, 2024

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની ઔપચારિક જાહેરાત થઈ ચૂકી છે. કોંગ્રેસ યુપીમાં 17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે સપા 63 સીટો પર તેના ઉમેદવારો ઉભા રાખશે. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને આપેલી સીટોમાં ફર્રુખાબાદનો સમાવેશ થતો નથી જે હવે કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પાર્ટી પ્રત્યે બળવાખોર વલણ દાખવ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું છે કે હું ભલે તૂટી જઈશ, પણ ઝૂકીશ નહીં. તેમણે લખ્યું, "ફર્રુખાબાદ સાથેના મારા સંબંધોને કેટલી કસોટીઓનો સામનો કરવો પડશે? પ્રશ્ન મારા વિશેનો નથી, પરંતુ આપણા બધાના ભવિષ્યનો છે, આવનારી પેઢીઓનો છે. હું ક્યારેય ભાગ્યના નિર્ણયો સામે ઝૂક્યો નથી. હું કરી શકું છું. તૂટી જઈશ પણ હું ઝૂકીશ નહીં. તુમ સાથ દેને કા વાદા કરો, મેં નગમે સુનાતા રહું. 

પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ નારાજ એટલા માટે છે કેમ કે તેઓ જે ફર્રુખાબાદ સીટ પરથી લોકસભા ચૂંટણી લડવા માંગે છે તે સીટ શેરિંગ હેઠળ સમાજવાદી પાર્ટીને ફાળવી દેવાઈ છે.  સપાએ પણ આ સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સલમાન ખુર્શીદ અત્યાર સુધી બે વખત ફર્રુખાબાદ સીટ પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. તેમણે 1991માં પહેલી ચૂંટણી જીતી હતી, જ્યારે 2009માં બીજી ચૂંટણી જીતી હતી. જે બાદ તેઓ સતત બે ચૂંટણી હારી ચૂક્યા છે.

વર્ષ 1991માં પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. 1996 અને 1998માં સ્વામી સચ્ચિદાનંદ હરિ સાક્ષી મહારાજ ભાજપ તરફથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ 1999 અને 2004માં સમાજવાદી પાર્ટીના ચંદ્રભૂષણ સિંહ ઉર્ફે મુન્નુ ભૈયાની જીત થઈ હતી. 2009ની ચૂંટણીમાં સલમાન ખુર્શીદ ફરી એકવાર કોંગ્રેસમાંથી જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી મુકેશ રાજપૂત 20 વર્ષ બાદ ફર્રુખાબાદ સીટ જીતવામાં સફળ રહ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎