:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સપાને બેઠક ફાળવતા કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ નારાજ ફર્રુખાબાદ માટે તૂટી જઈશ પણ હું ઝૂકીશ નહીં

top-news
  • 24 Feb, 2024

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની ઔપચારિક જાહેરાત થઈ ચૂકી છે. કોંગ્રેસ યુપીમાં 17 સીટો પર ચૂંટણી લડશે જ્યારે સપા 63 સીટો પર તેના ઉમેદવારો ઉભા રાખશે. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને આપેલી સીટોમાં ફર્રુખાબાદનો સમાવેશ થતો નથી જે હવે કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો બની શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પાર્ટી પ્રત્યે બળવાખોર વલણ દાખવ્યું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું છે કે હું ભલે તૂટી જઈશ, પણ ઝૂકીશ નહીં. તેમણે લખ્યું, "ફર્રુખાબાદ સાથેના મારા સંબંધોને કેટલી કસોટીઓનો સામનો કરવો પડશે? પ્રશ્ન મારા વિશેનો નથી, પરંતુ આપણા બધાના ભવિષ્યનો છે, આવનારી પેઢીઓનો છે. હું ક્યારેય ભાગ્યના નિર્ણયો સામે ઝૂક્યો નથી. હું કરી શકું છું. તૂટી જઈશ પણ હું ઝૂકીશ નહીં. તુમ સાથ દેને કા વાદા કરો, મેં નગમે સુનાતા રહું. 

પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ નારાજ એટલા માટે છે કેમ કે તેઓ જે ફર્રુખાબાદ સીટ પરથી લોકસભા ચૂંટણી લડવા માંગે છે તે સીટ શેરિંગ હેઠળ સમાજવાદી પાર્ટીને ફાળવી દેવાઈ છે.  સપાએ પણ આ સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે. સલમાન ખુર્શીદ અત્યાર સુધી બે વખત ફર્રુખાબાદ સીટ પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. તેમણે 1991માં પહેલી ચૂંટણી જીતી હતી, જ્યારે 2009માં બીજી ચૂંટણી જીતી હતી. જે બાદ તેઓ સતત બે ચૂંટણી હારી ચૂક્યા છે.

વર્ષ 1991માં પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ પહેલીવાર કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. 1996 અને 1998માં સ્વામી સચ્ચિદાનંદ હરિ સાક્ષી મહારાજ ભાજપ તરફથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ 1999 અને 2004માં સમાજવાદી પાર્ટીના ચંદ્રભૂષણ સિંહ ઉર્ફે મુન્નુ ભૈયાની જીત થઈ હતી. 2009ની ચૂંટણીમાં સલમાન ખુર્શીદ ફરી એકવાર કોંગ્રેસમાંથી જીતવામાં સફળ રહ્યા હતા. પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી મુકેશ રાજપૂત 20 વર્ષ બાદ ફર્રુખાબાદ સીટ જીતવામાં સફળ રહ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎