:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

આફ્રિકન દેશ માલીમાં ભયંકર અકસ્માત: બસ દુર્ઘટનામાં 31 લોકોના કમકમાટીભર્યા મોત

top-news
  • 28 Feb, 2024

આફ્રિકન દેશ માલીમાં થયેલી બસ દુર્ઘટનામાં 31 લોકોના મોત થયા છે.ત્યાંના પરિવહન મંત્રાલયે કરી પુષ્ટિ કરી હતી. આ ઘટના કેનીબામાં વિસ્તારમાં બની હતી જ્યારે એક બસ બાગો નદી પર આવેલા બ્રિજને પાર કરતા નદી પરના પુલ પરથી પડી હતી.  આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સાંજે 5 વાગ્યે બની હતી.બસમાં ઘણા માલિયન અને પશ્ચિમ આફ્રિકાના પેટા-પ્રદેશના નાગરિકો હતા.

બસ બુર્કિના ફાસો જઈ રહી હતી. ત્યારે તે પલટી ગઈ, જેમાં 31 લોકો માર્યા ગયા અને 10 અન્ય ઘાયલ થયા. તેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. આ અકસ્માતનું કારણ ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવવો હોવાનું કહેવાય છે.પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થવાનું કારણ માલીના ખરાબ રસ્તાઓ  ગણાવવામાં આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં રોડ ટ્રાફિકથી થતા મૃત્યુમાંથી લગભગ ચોથા ભાગના મૃત્યુ  આફ્રિકામાં થાય છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎