:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

કેન્યામાં ટ્રેઈની વિમાન , પેસેન્જર પ્લેનમાં ઘૂસી જતાં દુર્ઘટના: ભયાનક અકસ્માતમાં 2નાં મોત, 44નો બચાવ...

top-news
  • 06 Mar, 2024

કેન્યાની રાજધાની નૈરોબીમાં એક વિચિત્ર દુર્ઘટના ઘટી ,અકસ્માતમાં  ટ્રેઈની પાઈલટ અને ટ્રેનરનું મોત થયું હતું. બનાવની વિગત મુજબ ટ્રેનિંગ દરમિયાન તેમનું પ્લેન પેસેન્જર પ્લેન સાથે અથડાયું હતું. કેન્યાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થાનિક કેરિયર સફારીલિંક અને 99 ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલનું વિમાન ઉડાન ભર્યા બાદ આચનક ચાલુ ઉડાને જ બંને વિમાન એક બીજા સાથે અથડાતા આ ભયાનક ઘટના બની હતી.

આ ઘટનાની નૈરોબી પોલીસ એડમસન બુંગાઈએ ટેક્સ્ટ સંદેશ દ્વારા મૃત્યુની પુષ્ટિ કરી હતી, જો કે તેમણે ઘટનાની વધુ વિગતો આપી ન હતી. સફારીલિંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન ટેકઓફના થોડા સમય બાદ જ જોરદાર ધડાકો થયો હતો, પ્લેન કેન્યાના દરિયાકાંઠે ડિયાની તરફ જઈ રહ્યું હતું અને તેમાં 44 લોકો સવાર હતા. જો કે સદનસીબે ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા.

એક રિપોર્ટ મુજબ આ ઘટનાને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને સફારીલિંક અને એવિએશન સાથે મળીને ઘટનાની તપાસ કરી રહી છે. 99 ફ્લાઈંગ સ્કૂલે એક સમાચાર એજન્સીને ફોન કોલ દ્વારા ઘટનાની જાણ કરી હતી પણ વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ક્રેશની ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સફારીલિંક કેન્યા, પડોશી તાંઝાનિયા અને ઝાંઝીબારમાં 18 સ્થળોએ ઉડાન ભરે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎