:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો: આંખો, ચેહરા અને પગમાં ઈજા, હોસ્પિટલમાં સ્વાતિએ કહ્યું- મને માથામાં પણ વાગ્યું છે

top-news
  • 18 May, 2024

આપના સાંસદ સ્વાતિ માલીવાલને મારમારવાના કેસના પગલે હાલ રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન સ્વાતિ માલીવાલનો આજે મેડિકલ રિપોર્ટ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એમ્સના ટ્રોમા સેન્ટરમાં તેમની મેડિકલ તપાસ કરાઈ હતી. એમએલસીમાં તેમની આંખો, ચેહરા અને પગ પર ઈજાઓ થઈ હોવાની વાત બહાર આવી છે. સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેમને ડાબા પગમાં ઈજા થઈ છે. આ સિવાય તેમની જમણી આંખની નીચે પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. મેડિકલ રિપોર્ટની વાત કરીએ તો માલીવાલના શરીર પર ચાર જગ્યાએ ઈજા થઈ હોવાના નિશાન જોવા મળ્યા છે. જોકે જ્યારે તેઓ તબીબી સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યા તો તેમણે માથામાં ઈજા થઈ હોવાની વાત પણ કરી હતી.

સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવ કુમાર પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, દિલ્હીના સીએમના સત્તાવાર નિવાસસ્થાને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસમાં નોંધાવેલી એફઆઈઆરમાં તેણે વિભવ કુમાર પર તેના પગ વડે પેટ, છાતી અને પેલ્વિસ એરિયામાં ઈજા પહોંચાડવાનો આરોપ મૂક્યો હતો.આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરેથી એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં સુરક્ષા ગાર્ડ સ્વાતિ માલીવાલનો હાથ પકડીને તેને બહાર લઈ જતા જોવા મળે છે. 

આ વીડિયો 13 મેનો હોવાનું કહેવાય છે, તે દિવસે જ્યારે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ માલીવાલે મુખ્યમંત્રીના સહયોગી વિભવ કુમાર પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાથી રાજકીય ગરમાવો સર્જાયો છે. સ્વાતિ માલીવાલ અને આમ આદમી પાર્ટી એકબીજા પર તીખી ટિપ્પણી કરી રહ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎