:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

છત્તીસગઢમાં ગમખ્વાર અકસ્માતમાં 18નાં મોત: ઉંડી ખીણમાં પીકઅપ વાન ઉંધી વળી જતા 18 લોકોનાં મોત, 13 લોકોને ઈજા

top-news
  • 20 May, 2024

છત્તીસગઢના કવર્ધા જિલ્લામાં સોમવારે થયેલા રોડ અકસ્માતમાં 18 લોકોનાં મોત થયા છે. જ્યારે 10થી 13 લોકોને ઈજા થઈ છે. બૈગા આદિવાસી પારંપારિક તેંદૂપત્તા લઈને પરત ફરી રહ્યાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી. બહપાની વિસ્તારની પાસે પીકઅપ વાન 20 ફુટ ઉંડી ખીણમાં જઈને પડી હતી, જેમાં 17 લોકોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય લોકોને ઈજા થઈ છે. પિકઅપમાં 27થી 30 લોકો સવાર હતા. આ તમામ લોકો કુઈના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલો પંડરિયાના કુકદૂરનો છે.

આ ઘટના પર છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે એકસ્ પર લખ્યું, કબીરધામ જિલ્લાના કુકદૂરના બાહપાની ગામની પાસે પિકઅપ વાન ઉંધી વળી જતા 18 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની સારવાર માટે જરૂરી નિર્દેશ જિલ્લા પ્રશાસનને આપવામાં આવ્યા છે. ઈશ્વરને દિવગંત આત્માઓની શાંતિ અને તેમના પરિવાર પ્રત્યે ઘેરી શોક સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎