:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

પુનાના પોર્શે કાર અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો: આરોપીના દાદાનું નીકળ્યું છોટા રાજન સાથે કનેક્શન, ભાઈ સાથેના વિવાદમાં લીધી હતી અંડરવર્લ્ડ ડોનની મદદ

top-news
  • 22 May, 2024

મહારાષ્ટ્રના પુનામાં પોર્શ કાર એક્સિડન્ટ મામલામાં રિઅલ એસ્ટેટ કારોબારી અગ્રવાલ પરિવાર ચર્ચામાં છે. જોકે હવે આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે અગ્રવાલ પરિવાર માટે કાયદા સાથે છેડછાડ કરવી તે કોઈ નવી વાત નથી. આ સિવાય આ પરિવારનું અંડરવર્લ્ડ કનેક્શન પણ સામે આવ્યું છે. આરોપીના દાદા સુરેન્દ્ર કુમાર અગ્રવાલે પોતાના ભાઈ સાથેના સંપત્તિના વિવાદમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની મદદ લીધી હતી. રાજનના ગુંડાઓએ ગોળીબારી કર્યો હતો. આ મામલામાં હત્યાની કોશિશ કરવા અંગેની એફઆઈઆર નોંધાઈ હતી. પહેલા પોલીસે તપાસ કરી હતી. બાદમાં સીબીઆઈને મામલો સોંપવામાં આવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે. 

ઉલ્લેખનીય છે કે પુનામાં 17 વર્ષના છોકરાએ ત્રણ દિવસ પહેલા દારૂના નશામાં પોતાની પોર્શે કારથી બાઈક સવાર બે એન્જિનિયરને કચડી નાંખ્યા હતા. આ દુર્ઘટનામાં બંને છોકરાના મૃત્યુ થયા હતા. મરનારની ઓળખ અનીશ અવધિયા અને અશ્વિની કોષ્ટા તરીકે થઈ છે. બંને મધ્ય પ્રદેના શહેવાસી હતા અને પુનામાં કામ કરતા હતા. આ મામલામાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કેટલીક શરતોની સાથે સગીર આરોપીને મુક્ત કર્યો હતો. પછીથી પોલીસે આરોપીના પિતા વિશાલ અગ્રવાલની છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎