:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

જૈન સાધુઓને હેરાન કરવાનો Live વીડિયો: શાંતિથી બેઠેલા સાધુઓને યુવકે કર્યા અનેક સવાલો, કહ્યું- કેમ બહાર આ રીતે ફરો છો...

top-news
  • 28 May, 2024

સોશિયલ મીડિયા પર એક યુવક દ્વારા ઉત્તરાખંડમાં દિંગમ્બર જૈન સાધુઓને હેરાન કરવાનો વીડિયો વાઈરલ થયા બાદ આ મામલાની તપાસ કરવા માટે પોલીસે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ અંગેની માહિતી એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે આપી છે.

ઉત્તરાખંડના પોલીસ ડાયરેક્ટર જનરલ અભિનવ કુમારે આ અંગે જણાવ્યું હતું કે જૈન સાધુઓને હેરાન કરનાર વ્યક્તિ રાજ્યના તહેરી જિલ્લાનો રહેવાસી છે. તેની સામે ઈન્ડિયન પીનલ કોડ એટલે કે આઈપીસીની કલમ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટને ટાંકીને ગુનો નોંધવામાં આવ્યો છે. 

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે જૈન દિંગમ્બર સાધુઓ એક પાળી પર શાંતિથી બેઠા છે અને એક યુવક તેમની નજીક આવીને તેમને ધમકાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેઓ આ રીતે કપડા વિના ખુલ્લામાં કઈ રીતે ફરી શકે? જોકે આ યુવકને સવાલનો જવાબ જૈન સાધુઓએ આપ્યો હતો. જોકે આ યુવક તેમની વાત સાથે સહમત થયો નહોતો અને પછીથી યુવકને વધુ જવાબ આપ્યા વિના જૈન સાધુઓ ત્યાંથી ચાલી નીકળ્યા હતા. 

સામાન્ય રીતે દિંગમ્બર જૈન સાધુઓ તેમના શરીર પર કપડા પહેરતા નથી. અને આ તેમની આસ્થાને લગતી વાત છે. અભિનવ કુમારે વધુમાં કહ્યું કે આ વીડિયોના કારણે દિંગમ્બર જૈન સુમદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. ઉત્તરાખંડ તમામ ધર્મમાં શ્રદ્ધા ધરાવનારાઓનો આદર કરે છે. કોઈ પણ ધર્મ પ્રત્યેના અણગમાને સહન કરવામાં આવશે નહીં. ઉત્તરાખંડ પોલીસે રચેલી એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ આ સમગ્ર મામલાની તપાસ કરશે અને જૈન સાધુઓ સાથે ખરાબ વર્તન કરનાર સામે યોગ્ય પગલા લેશે.