:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શપથનાં બીજા દિવસે કરવો પડ્યો ખુલાસો: મીડિયાના અહેવાલોના પગલે કેરળના સાંસદે કર્યો ખુલાસો, કહ્યું- હું મંત્રી પદ છોડવાનો નથી

top-news
  • 10 Jun, 2024

કેરળના ત્રિશૂરથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ સુરેશ ગોપીએ મંત્રી પદના શપથ લીધા પછી હાલ વિવિધ મીડિયામાં એવા સામાચાર ચાલી રહ્યાં છે કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. હવે આ પ્રકારના સમાચારોનું તેમણે ખંડન કર્યું છે. 



કેરળથી તેઓ બીજેપીના એકમાત્ર સાંસદ છે, જેમને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંત્રીપદની શપથ લેનાર 72 સાંસદોમાં તે પણ સામેલ હતા. સુરેશ ગોપીએ પોતાની એક પોસ્ટમાં કહ્યું, "કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ સંપૂર્ણપણે ખોટું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કામ કરી રહ્યા છીએ. કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.



મીડિયા અહેવાલો પછી, સૂત્રએ સુરેશ ગોપીના કાર્યાલયને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ એવા અહેવાલો પર સ્પષ્ટતા જારી કરશે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ પદ છોડવા માંગે છે. તેમની ઓફિસે પહેલેથી જ કહ્યું હતું કે સુરેશ ગોપીએ ક્યારેય આવું કહ્યું નથી. તેમની ઓફિસે કહ્યું હતું કે મીડિયાના અમુક વર્ગ દ્વારા ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. પોર્ટફોલિયોની ફાળવણી બાદ સુરેશ ગોપી સ્પષ્ટતા જારી કરશે.