:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

શપથનાં બીજા દિવસે કરવો પડ્યો ખુલાસો: મીડિયાના અહેવાલોના પગલે કેરળના સાંસદે કર્યો ખુલાસો, કહ્યું- હું મંત્રી પદ છોડવાનો નથી

top-news
  • 10 Jun, 2024

કેરળના ત્રિશૂરથી નવા ચૂંટાયેલા બીજેપી સાંસદ સુરેશ ગોપીએ મંત્રી પદના શપથ લીધા પછી હાલ વિવિધ મીડિયામાં એવા સામાચાર ચાલી રહ્યાં છે કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. હવે આ પ્રકારના સમાચારોનું તેમણે ખંડન કર્યું છે. 



કેરળથી તેઓ બીજેપીના એકમાત્ર સાંસદ છે, જેમને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મંત્રીપદની શપથ લેનાર 72 સાંસદોમાં તે પણ સામેલ હતા. સુરેશ ગોપીએ પોતાની એક પોસ્ટમાં કહ્યું, "કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારના મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ સંપૂર્ણપણે ખોટું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કામ કરી રહ્યા છીએ. કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.



મીડિયા અહેવાલો પછી, સૂત્રએ સુરેશ ગોપીના કાર્યાલયને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ એવા અહેવાલો પર સ્પષ્ટતા જારી કરશે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ પદ છોડવા માંગે છે. તેમની ઓફિસે પહેલેથી જ કહ્યું હતું કે સુરેશ ગોપીએ ક્યારેય આવું કહ્યું નથી. તેમની ઓફિસે કહ્યું હતું કે મીડિયાના અમુક વર્ગ દ્વારા ખોટી માન્યતાઓ ફેલાવવામાં આવી રહી છે. પોર્ટફોલિયોની ફાળવણી બાદ સુરેશ ગોપી સ્પષ્ટતા જારી કરશે.