:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મુંબઈ-પુનામાં ભારે વરસાદ: મુંબઈમાં જુલાઈમાં અત્યાર સુધીમાં 150 સેન્ટીમીટર વરસાદ પડ્યો, જનજીવન ખોરવાયું; પુનામાં વીજળીએ 3 લોકોનો જીવ લીધો

top-news
  • 25 Jul, 2024

બઈ અને પુનામાં હાલ ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે. મુંબઈની વાત કરીએ તો શહેરમાં જુલાઈ મહિનામાં જ 150 સેન્ટીમિટર વરસાદ પડ્યો છે. જ્યારે પુનાની વાત કરીએ તો શહેરમાં ભારે ગડગડાટ સાથે પડેલા વરસાદમાં થતી વીજળીએ ત્રણ લોકોના જીવ લીધા છે. ભારે વરસાદની વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર ફોન પર સ્થિતિની સમીક્ષા કરી હતી. પવારે ડિવિઝનલ કમિશનર અને મુંબઈ, પુના અને થાણેના અન્ય અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે હાલ એલર્ટનેસ જાળવવામાં આવે અને કોઈ પણ માહિતી મળે કે તરત જ તે જગ્યાએ રાહાતગીરી માટે માણસોને મોકલી આપવામાં આવે.

ચોમાસું જામી ગયું છે અને દેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને અત્યારે મહારાષ્ટ્રમાં પણ ઘણો વરસાદ વરસી રહ્યો છે. હવે એ તો જાણીતું જ છે કે મહારાષ્ટ્રમાં દર વર્ષે વરસાદ આફત બની જાય છે અને આ વખતે પણ આવું જ કઈંક થઈ રહ્યું છે. મુંબઈમાં ગઈકાલ રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે, ટ્રેનો મોડી દોડી રહી છે. ક્યાંક કોઈ ઈમારત પડી રહી છે તો ક્યાંક કોઈ ખાડામાં પડી રહ્યું છે. આ સાથે જ હવામાન વિભાગ (IMD) એ આજે ​​મુંબઈ માટે યલો એલર્ટ જારી કર્યું છે. 


મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી મુશળધાર વરસાદ ચાલુ છે અને ગઇકાલે આખી રાત વરસાદ પડ્યો. આજે અધેરી સબવે ભારે વરસાદને કારણે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સાથે જ IMD એ આજે ​​એટલે કે 25 જુલાઈના રોજ કોંકણ, મધ્ય મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ, BMCએ મુંબઈમાં બપોરે 3 વાગ્યે હાઈ ટાઈડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયા કિનારે 4 થી 5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. લોકોને ત્યાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પુણેની હાલત પણ ખરાબ છે, જ્યાં ઘણા વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ પુણેમાં વીજ કરંટથી ત્રણ લોકોના મોતના સમાચાર પણ છે. અહીં વરસાદને કારણે અને શાળાઓમાં રજા જાહેર કરી છે અને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


પુણેની હાલત પણ ખરાબ છે, જ્યાં ઘણા વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ પુણેમાં વીજ કરંટથી ત્રણ લોકોના મોતના સમાચાર પણ છે. અહીં વરસાદને કારણે અને શાળાઓમાં રજા જાહેર કરી છે અને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે મુંબઈ માટે યલો એલર્ટ, થાણે પાલઘર માટે રેડ અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકથી ગુજરાત સુધી એક ઓફશોર ટ્રફ સંપૂર્ણ રીતે સક્રિય થઈ જશે, જેના કારણે મુંબઈ સહિત ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.