:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શરદ પવારે ગૃહમંત્રીને આપ્યો જવાબ: પવારે કહ્યું- સુપ્રીમ કોર્ટે અમિત શાહને ગુજરાતમાંથી દૂર રહેવા કહ્યું હતું, જાણો સમગ્ર મામલો

top-news
  • 27 Jul, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં એનસીપી(એસપી)ના પ્રમુખ શરદ પવારને કરપ્શનના કિંગપિન ગણાવ્યા હતા. તેમના આ નિવેદન પર હવે શરદ પવારે વળતો પ્રહાર કર્યો છે. તેમણે આ અંગે અમિત શાહને સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકીને સંભળાવ્યું હતું.

શરદ પવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને યાદ અપાવ્યું કે કેવી રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા ખુદ અમિત શાહને ગુજરાતમાંથી દૂર રહેવા માટે મજબૂર કરાયા હતા. શરદ પવારે કહ્યું કે થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહે મારા પર પ્રહારો કર્યા હતા અને કેટલીક વાતો કહી હતી. તેમણે મને દેશના સૌથી ભ્રષ્ટ લોકોના કમાન્ડર ગણાવ્યા હતા. વિચિત્ર વાત એ છે કે ગૃહમંત્રી એક એવી વ્યક્તિ છે જેમણે ગુજરાતના કાયદાનો દુરુપયોગ કર્યો અને એટલા માટે સુપ્રીમ કોર્ટે તેમને ગુજરાતમાંથી બહાર કરી દીધા હતા.


શરદ પવારે કહ્યું કે જેમને ગુજરાતમાંથી બહાર કરી દેવાયા હતા તે આજે ગૃહમંત્રી છે એટલા માટે આપણે એ વિચારવું જોઈએ કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જેમના હાથોમાં આ દેશ છે તે લોકો કયા પ્રકારના ખોટા રસ્તે જઇ રહ્યા છે. આપણે તે અંગે વિચારવું પડશે. નહીંતર મને 100% વિશ્વાસ છે કે તે આ દેશને ખોટા રસ્તે લઈ જશે. આપણે તેના પર ધ્યાન આપવું પડશે.

મહારાષ્ટ્રના પુણેમાં ભાજપના સંમેલનમાં 21મી જુલાઈએ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, 'તેઓ (વિપક્ષ) ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે. ભારતીના રાજકારણમાં ભ્રષ્ટાચારના સૌથી મોટા કિંગપિન શરદ પવાર છે અને મને આમાં કોઈ ભ્રમ નથી. તેઓ આપણા પર શું આરોપ લગાવશે? જો કોઈએ ભ્રષ્ટાચારને સંસ્થાકીય બનાવવાનું કામ કર્યું હોય, તો શરદ પવાર, તે તમે જ છો.'