:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શહેર ટ્રાફિક પોલીસની મદદે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: બેંગ્લોર પ્રમાણે અમદાવાદમાં ટેકનોલોજીની મદદથી ટ્રાફિક સમસ્યા હળવી કરાશે

top-news
  • 09 Feb, 2024

અમદાવાદમાં રોડ પહોળા કરાયા, ફ્લાય ઓવર અને અન્ડર બ્રિજ પણ તેટલાજ છે. છતાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વિકટ થતી જઈ રહી છે. પહેલાની સરખામણીમાં રોડ પર વાહનોની સંખ્યા વધી રહી છે. ફોર વ્હિલરની સંખ્યા વધવાને કારણે પણ ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા સામે હવે શહેર ટ્રાફિક પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેશે.

ટ્રાફિક પોલીસની સંખ્યા વધારી રોડ પર ટ્રાફિક પોલીસની હાજરી વધારાશે.  આ સાથે જ ટેકનોલોજીનો ઉપયોગ કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અંગેની માહિતી પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર મલિકે આપી છે.

શહેરમાં એસપી રિંગ રોડ પર સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે. જેને લઇને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગરમાં આવતો વિસ્તાર પણ અમદાવાદ શહેરમાં સમાવવા ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવમાં આવી છે.

દેશમાં બેંગ્લોરમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ છે. ત્યારે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને બેંગ્લોરમાં તાલીમ અર્થે મોકલવામાં આવ્યા છે. જ્યાં અધિકારીઓ ટ્રાફિક કન્ટ્રોલ માટે AI સિસ્ટમનો અભ્યાસ કર્યો છે. તેમજ  બેંગ્લોરની ટ્રાફિક પ્રણાલી પ્રમાણે અમદાવાદમાં ટેકનોલોજીની મદદથી ટ્રાફિક સમસ્યા હળવી કરવાનો પ્રયાસ કરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎