:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ખાણ અને ખનીજ વિભાગ દ્વારા પકડાયેલા ટ્રકને પોલીસને સોંપાયા : ગેરકાયદેસર ઘટના બનશે તો કડક સજા થશે :હર્ષ સંઘવી

top-news
  • 14 Feb, 2024

ખાણ અને ખનીજ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષોમાં રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર પકડાયેલા ટ્રેકને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. જેને અસલી ટ્રક માલિકો દ્વારા ભૂસ્તરશાસ્ત્રીના નકલી હુકમો રજૂ કરીને ખોટી રીતે છોડાવી ગયેલા તમામ ટ્રકને પોલીસે પરત જપ્ત કર્યા છે.

આ નવી મોડેસ ઓપરેન્ડી સાથે જોડાયેલા ૧૨ જેટલા ઇસમોની પણ ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે, તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જણાવ્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, છેવાડાના માનવીના કલ્યાણ માટે રાજ્ય સરકાર કોઈપણ યોજના અમલ બનાવતી હોય છે. રાજકોટ જિલ્લામાં બનેલી આ ઘટના એક નવીન મોડસ ઓપરેન્ડી હતી. ગ્રાફિક્સ ડિઝાઇનની મદદથી આ ઈસમો દ્વારા નકલી હુકમો બનાવ્યા હતા. આ ઘટના- ગેરરીતીને વહીવટી તંત્રએ સામેથી તપાસ કરીને પકડી છે.

આ ઘટના બાદ આવી કોઈ પણ ગેરરીતી કે નકલી હુકમોની ઘટનાના બને તે માટે સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગોને સામેથી જાણ કરી છે. આ પ્રકારની કોઈપણ ઘટના બનશે તો કોઈને પણ છોડવામાં નહીં આવે અને કડક સજા કરવામાં આવશે તેમ મંત્રીએ ગૃહમાં પેટા પ્રશ્નનો ઉત્તર આપતા ઉમેર્યું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎