:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

જે પી નડ્ડાને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય : ગુજરાતની વધતી જતી તાકાત કે પછી અન્ય કોઈ જવાબદારી ...

top-news
  • 19 Feb, 2024

સમગ્ર દેશમાં લોકસભાની ચુંટણી પહેલા અચાનક જ રાજકારણ માં ગરમાવો આવી ગયો છે. પાર્ટીઓ પોતાના ક્યા સભ્યને ક્યાંથી ટિકિટ આપવી કે નહીં અપાવી તેમાં વયસ્ત જોવા મળી રહ્યા છે. એવામાં ગુજરાતમાં ગત અઠવાડિયાનું રાજકારણ ખૂબ જ મહત્ત્વદાયી રહ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરાયું હતું.

ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધા છે, જે નિર્ણય સૌ કોઈને ચોંકાવી દીધા છે. રાજકીય ચર્ચા એવી ચાલી રહી છે કે જેપી નડ્ડાને કઈ રણનીતિ હેઠળ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. શું આ ગુજરાતની વધતી જતી તાકાત છે કે પછી અન્ય કોઈ જવાબદારી સોંપાશે. 

રાજકીય વિશ્લેષકો ચર્ચા કરી રહ્યા છે, કે તેઓના ગૃહ રાજ્યને છોડીને જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવ્યા છે. ભાજપમાં ગુજરાતનું મહત્વ પહેલા કરતા વધી રહ્યું છે. એવું નથી કે આવું પહેલીવાર બન્યું છે. કારણ કે જ્યારે સમગ્ર દેશમાં ભાજપના માત્ર 2 સાંસદો હતા તેમાંથી એક ગુજરાતના મહેસાણાના હતો.

જો કે એ નવી વાત નથી કે ભાજપમાં ગુજરાત કે ગુજરાત સંગઠનની ભૂમિકા મોટી છે પરંતુ ગુજરાતમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષને તેમના ગૃહ રાજ્ય છોડીને મોકલવાને મોટા સંદેશ હોઈ શકે. જેપી નડ્ડાએ કાર્યકર્તાઓને સંબોધતા એમ પણ કહ્યું હતું કે આ તેમના માટે ગર્વની ક્ષણ છે. કારણે તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં જવાની તક મળી છે જેના માટે તેમણે કેન્દ્રીય નેતૃત્વ મંડળનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. સાથો સાથે તેમણે સૌભાગ્યની વાત પણ કહી હતી.

ગુજરાત હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે અને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. જે છે 156 બેઠકોની જીતીનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાંથી આવે છે સાથો સાથ ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાંથી છે. જેપી નડ્ડા પહેલા અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા.

ભાજપે જે પણ નવા રાજકીય પ્રયોગો કર્યા છે તેની ગુજરાત પ્રયોગશાળા કહેવાય છે. જેમાં તેમ ઉદાહરણ રૂપે પછી ચૂંટણી લડ્યા વિના મુખ્યમંત્રી બનવાનો નિર્ણય હોય કે, નો રિપીટ થિયરી. ભાજપે આ બધું ગુજરાતમાંથી જ શરૂ કર્યું છે. 

ગુજરાતમાંથી રાજ્યસભાની 4 બેઠકો માટે ભાજપ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોમાં સૌથી મોખરે નામ જેપી નડ્ડાનું છે. તે બ્રાહ્મણ સમાજનો ચહેરો છે. તેમના પછી હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ મોટો ચહેરો છે. જે લેઉવા પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રીજો અને ચોથા ચહેરાઓમાં ભાજપે OBC સમુદાયના બે ચહેરાઓને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. 

જેમાં એક છે ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ મયંક નાયક અને બીજા છે ડો.જસવંતસિંહ પરમાર. મયંક નાયક પાર્ટીનો એક એવો સામાન્ય કાર્યકર છે, જે દરેક ચૂંટણીમાં પોસ્ટર અને બેનરો બનાવવાથી લઈને બૂથ પર મતદારો સુધી પહોંચવા સુધી પાર્ટી માટે કામ કરે છે.  વર્તમાનમાં તેઓ ગાંધીનગર લોકસભાના પ્રભારી છે. સાથો સાથ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની લોકસભા ચૂંટણીની રણનીતિ પર કામ કરે છે.ચોથા ઉમેદવાર ડો.જસવંતસિંહ પરમાર છે. જેઓ એક વખત બળવાખોર બની ચૂક્યા છે, તેમ છતાં પાર્ટીએ તેમનામાં વિશ્વાસ દર્શાવ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎