:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

બનાસકાંઠામાં સરપંચ પર હુમલો: અદાવત રાખીને 9 શખ્શોદ્વારા કરાયો હુમલો, 3ને ઇજા ...

top-news
  • 26 Feb, 2024

બનાસકાંઠામાં જૂની અદાવત રાખીને જિલ્લાના ભાભર તાલુકાના ગોસણ ગામના સરપંચ તેમજ તેમના પરિવાર પર કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો  કરવાની ઘટના સામે આવી .બનાવની વિગત મુજબ ગામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે ગામમાં શોભાયાત્રા કાઢવાનું યોજવામાં આવ્યું હતું . આ પ્રસંગે નિમંત્રણ નહીં આપવાને લઇ કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અદાવત રાખીને હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ લગભગ 9 જેટલા શખ્સો અદાવતની યોજનામાં સામેલ હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

તાજેતરમાં જ ભાભરના ગોસણ ગામે રામાપીર મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો. મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં નિમંત્રણ નહીં આપવાને લઈ કેટલાક પરિવારોમાં મનદુઃખ સર્જાયુ હતુ. જેને લઈ સરપંચ તેજાજી શિવાજી ઠાકોર પર 20 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. કાર, પીકઅપ ડાલુ અને ટ્રેક્ટરમાં આવેલા ગામના જ શખ્શોએ સરપંચના ઘરે હુમલો કર્યો હતો.

હુમલામાં સરપંચ અને તેમના પરિવારજનોના ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. ટોળાએ સરપંચની કાર અને મોપેડ સહિત દુકાન સહિતની તોડફોડ કરી હતી. ઘટના અંગે સરપંચના પુત્ર અંકિત ઠાકોરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે 9 આરોપીઓ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎