:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અંબાજીના ગબ્બર પરિક્રમા મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા: ભક્તે માતાજીના ચરણોમાં 12 કિલો ચાંદી ભેટ ધરી ...

top-news
  • 26 Feb, 2024

દેશના પવિત્ર યાત્રાધામોમાં હમેશાં અસંખ્ય ભીડ જોવા મળતી હોય છે. એમાં ખાસ કરીને તહેવારોમાં તો મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો વહેલી સવાર થી જ થઈ જતી હોય છે. હાલમાં પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવની શરૂઆત થયેલ છે. તેથી યાત્રાધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.  મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી રહ્યા છે. 

આમ તો સામાન્ય દિવસે પણ અંબાજી મંદિરના પરિસરમાં ભક્તોની લાંબી કતારો જામેલી જોવા મળતી જ હોય છે. શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા સાથે ભેટ માં ના ચરણોમાં ધરાવતા હોય છે. આવી જ રીતે એક ભક્તે 12 કિલોગ્રામ ચાંદીની ભેટ ધરી છે. કેટલાક ભક્તો મોટા પ્રમાણમાં અહીં સુવર્ણ દાન પણ અત્યાર સુધી કરી ચૂક્યા છે.  ચાંદીનું  પણ મોટા પ્રમાણમાં સતત દાન ભેટ મા અંબાના ચરણોમાં ભક્તો ચડાવતા હોય છે.

અહીં ભક્તો સુવર્ણ અને ચાંદીના આભૂષણો પણ મા અંબાને ભેટ ચડાવતા હોય છે.શ્રદ્ધાળુઓ મા અંબાના દરબારમાં પહોંચીને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.  ભક્તોએ મંદિરમાં અત્યાર સુધીમાં કરોડો રુપિયાના સોના અને ચાંદીની ભેટ ધરાવી છે. એવામાં રવિવારે સાંજની આરતી બાદ મુંબઇથી આવેલા શ્રદ્ધાળુએ ચાંદીની ભેટ માના દરબારમાં ધરી હતી.

મુંબઈના શ્રદ્ધાળુએ પોતાની ઓળખ આપ્યા વિના જ મંદિરમાં માતાજીના ચરણોમાં 12 કિલો અને 842 ગ્રામ ચાંદીની ભેટ ધરી હતી. જેની કિંમત 9.24 લાખ રુપિયા જેટલી અંદાજવામાં આવે છે. શ્રદ્ધાળુએ પોતાના નામને જાહેર કર્યા વિના જ માતાજીના ચરણોમાં ચાંદીના 17 જેટલા ચોસલાને ધર્યા હતા.

મહા મહિનાની પૂર્ણિમાને લઇને શનિવારે પણ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ અંબાજીમાં ઉમટી હતી. પુર્ણિમાને લઈ ભક્તોએ માં ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. એકમના દિવસે રવિવાર હોઇ રવિવારે પણ ભક્તો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎