મુખ્યમંત્રી : અયોધ્યામાં રામલલ્લાના દર્શનનો અલૌકિક લ્હાવો મુખ્યમંત્રીના નેતૃત્વમાં મંત્રીગણ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ થી અયોધ્યા રવાના
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02032024_101955_WhatsApp Image 2024-03-02 at 3.48.57 PM.jpeg)
- 02 Mar, 2024
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોને આજે પાવન નગરી અયોધ્યા માં ભવ્ય અને દિવ્ય શ્રીરામ મંદિરમાં રામલલ્લાના દર્શનનો અલૌકિક લ્હાવો પ્રાપ્ત થયો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાનના દર્શનની આ અનુભૂતિ હૃદયને સ્વર્ગીય આનંદથી ભરી દેનારી છે.. અવર્ણનીય છે. ભગવાનના દિવ્ય સ્વરૂપ સમક્ષ ભારતના સર્વોત્તમ વિકાસ અને સનાતન મૂલ્યોના જયકારની પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અયોધ્યાજી ખાતે ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણનું કરોડો દેશવાસીઓનું સ્વપ્ન પૂરું થયું છે. શ્રીરામ મંદિરના દર્શન માટે પ્રત્યેક ભક્ત આતુર છે, ત્યારે આજે મને આ પુનિત અવસર મળ્યો એ ભગવાનની પરમ કૃપા છે. ભગવાનના ચરણોમાં આસ્થા અને ભક્તિપૂર્વક શીશ નમાવું છું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ રામલલ્લાના દર્શન માટે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પુરુષાર્થથી અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે શનિવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મંત્રીમંડળના મંત્રીઓ ભવ્ય રામ મંદિરમાં રામચંદ્રજીના શ્રદ્ધા ભક્તિપૂર્વક દર્શન-અર્ચન કરશે.મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સદસ્યો સાથે અયોધ્યા રામ મંદિર દર્શન માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા દંડક વિજય પટેલ અને નાયબ દંડકો પણ જોડાયા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ