શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સાવધાન ..!! શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણે ...????
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13032024_064132_Panmasala_1592043717740_1592043763519_1632791309429.jpg)
- 13 Mar, 2024
રાજ્યની શાળાઓમાં કેટલાય શિક્ષકો પાન મસાલા ખાતા નજરે દેખાય છે,જેની બાળ માનસ પર વિપરીત અસર પડી રહી છે,સમગ્ર રાજ્યમાં વ્યસન કરનારાની સંખ્યામાં વધારો થતો જૉવા મળી રહ્યો છે, એમાંય નાની વયના બાળકોની સંખ્યા વધુ છે. તેથી આ બાબતે આપણું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી.
જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જોકે હવે ખુદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોના વ્યસનને લઈ હવે શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે. વિગતો મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના દરેક જિલ્લા શિક્ષાધિકારીને પત્ર લખ્યો છે.
આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે, શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે લાંછનીય બાબત છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ