:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસનો બનાવ : ધો. 12ની પરીક્ષા મામલે ૫૦ થી વધુનો સ્ટાફ સસ્પેન્ડ..

top-news
  • 13 Mar, 2024

લોહ પુરુષ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદની શાળામાં માસ કોપી કેસની  ઘટના પ્રકાશમાં આવતા જિલ્લા શિક્ષણાધિકારી તરત એક્શનમાં આવી ગયા અને તમણે કેન્દ્રના 50 લોકોના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધા છે. ઉપરાંત આજના પેપર માટે નવા સ્ટાફની વ્યવસ્થા કરીને પરીક્ષા શરૂ કરી દેવામાં આવી છે.હાલ રાજ્યમાં ધોરણ ૧૦-૧૨ની ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એવામાં આણંદની કરમસદ પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12ની પરીક્ષા દરમિયાન માસ કોપી કેસની ઘટના સામે આવી છે. 

બનાવની વિગત મુજબ આણંદના કરમસદના સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં જ જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત દરમિયાન બારીમાંથી કોઈ વ્યક્તિ વિદ્યાર્થીને લખાવી રહ્યાનું હોવાનુ સામે આવ્યું હતું. જે બાદ શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના 50 લોકોના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરીને કડક પગલા લીધા હતા.આ ગંભીર ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાંનસેરિયાએ જણાવ્યુ હતુ કે, “ગુજરાતભરમાં 15 લાખ વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે આ કેન્દ્ર પર કોની ક્ષતિને કારણે આ બધું થયું તે અંગેની તમામ તપાસ સાંજ સુધી પુરી કરવામાં આવશે.”

તેમણે વધુમાં જણાવ્યુ કે, “આપણા 15 લાખ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાએ પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હોય. ત્યારે આવી કોઇ એકાદ ઘટના અન્ય વિદ્યાર્થી પર કોઇ અસર ન છોડે તે પણ જોવાનું હોય છે. એકપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય અને જે પણ દોષિત હશે તેની સામે એક્શન લેવામાં આવશે.”આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, “આ ઘટનાના સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે. જેના કારણે આ ઘટનામાં કોઇને અન્યાય નહીં થાય અને જેને કર્યુ છે તે છૂટે નહીં તેવી કાર્યવાહી કરવામાં આવશે.”
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎