કસલપુર ગામનો મુખ્ય રસ્તો 15 વર્ષથી ખખડધજ: બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર, રોડ નહી… તો વોટ નહીં !
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan01042024_074842_WhatsApp Image 2024-04-01 at 1.03.29 PM.jpeg)
- 01 Apr, 2024
આપણાં દેશના નેતાઓની જૂની આદત છે, ચૂંટણી આવે ત્યારે તેઓ જનતાની વચ્ચે જઈને લોકશાહીના નામે મોટા મોટા વચનો આપીને લોકોનો વિશ્વાસ મેળવવાનો પૂરતો પ્રયાસ કરે છે પરંતુ ચુંટણી બાદ બધા વચનોની સાથે નેતાઓ પણ ગાયબ થઈ જતાં જોવા મળે છે, આવો જ એક કિસ્સો હાલમાં બનાસકાંઠાના એક ગામડા માં બન્યો, બનાવની વિગત મુજબ કસલપુર નામના ગામ માં છેલ્લા 15 વર્ષથી મુખ્ય રસ્તાની માંગણી સ્થાનિકો કરી રહ્યા છે,
પરંતુ તેમની માંગણીને કોઈ ગણકારતું જ નથી , ચુંટણી વેળાએ નેતાઓ સામન્ય જનતા સમક્ષ હાથ જોડી પહોંચી જાય, પરંતુ ચૂંટણી બાદ નેતાજી ગાયબ થઈ જાય.. અને લોકોની સમસ્યા ભૂલી જાય.. આવી જ પીડાથી ત્રસ્ત મતદારોએ આ વખતે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અને પાટણ લોકસભા વિસ્તારમાં આવતા કસલપુરા ગામના લોકોમાં આક્રોશ છે.
કસલપુર ગામનો મુખ્ય રસ્તો છેલ્લા 15 વર્ષથી ખખડધજ છે. ત્યારે હવે લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે, રોડ નહીં.. તો વોટ નહીં.. સ્થાનિકોનો એવો પણ આક્ષેપ છે કે આજદિન સુધી ન કોઈ સાંસદ કે ન કોઈ ધારાસભ્ય તેમને સાંભળે છે. ત્યારે હવે સ્થાનિકોએઓ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ